કચ્છ ઉપર કુદરતના ચારે હાથ છે, કચ્છનું સૌંદર્ય અભિભૂત કરનારું છે. આ સૌંદર્ય માટે જ અહીં પ્રવાસન વિકસી રહ્યું છે. વિદેશીઓ તો દાયકાઓથી આ સરહદી જિલ્લાનું સૌંદર્ય માણવા, કચ્છી મહિલાઓના હાથના કસબને જોવા, જાણવા, કચ્છના વર્ષો જૂના ઇતિહાસને જોવા, સદીઓ જૂના સજીવોનાં પગરણને શોધવા માટે આવતા જ હતા. છેલ્લા બે દાયકાથી ભારતનાં વિવિધ રાજ્યોના લોકોને પણ કચ્છ અવાજ દઈને બોલાવી રહ્યું છે. દર વર્ષે અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા વધતી જ જાય છે. અહીં આવનારા પ્રવાસીઓને નિતનવું લાગે, તેમનું આકર્ષણ જળવાઈ રહે, તેમને વારંવાર કચ્છ આવવાનું મન થાય તે હેતુથી અલગ-અલગ પ્રકારના પ્રવાસન વધી રહ્યા છે. આકાશદર્શન એ એક એવા જ પ્રકારનું પ્રવાસન છે, જે ખગોળમાં રસ ધરાવતા લોકોને કચ્છમાં વારંવાર આવવા પ્રેરે છે.
આકાશ તો બધે જ એક સરખું હોય છે, પરંતુ તે કઈ રીતે જોઈ શકાય છે, તે મહત્ત્વનું છે. કચ્છનું આકાશ અન્ય જગ્યાના આકાશ કરતાં જાણે થોડું અલગ છે. તે કચ્છના રણની જેમ જ જાણે કે લોકો સાથે પોતાની ભીતરના રહસ્યોની વાત કરે છે. સામાન્ય રીતે કચ્છના આકાશમાં વાદળાની અવરજવર પ્રમાણમાં ઓછી હોવાના કારણે સ્વચ્છ આકાશ વધુ દિવસો સુધી જોઈ શકાય છે. અન્ય જગ્યા કરતાં કચ્છના રણ વિસ્તારમાં પ્રદૂષણની માત્રા ઘણી ઓછી છે. જેથી આકાશદર્શન વધુ સારી રીતે થઈ શકે છે. કચ્છનો વિસ્તાર મોટો અને વસતી પ્રમાણમાં ઓછી હોવાના કારણે લાઇટનું પ્રદૂષણ પણ ઓછું છે. તેમ જ નાના-મોટા રણમાં ક્ષિતિજ સુધી આકાશના કોઈ પણ જાતના અવરોધો ઓછા છે. રણમાં કોઈ ટેકરીઓ કે મોટાં ન હોવાના કારણે તારાઓને ઊગતા અને આથમતાં જોઈ શકાય છે. અહીં ૩૬૦ ડિગ્રી ક્ષિતિજ જોઈ શકાય છે. આ કારણો જ કચ્છના આકાશને વિશિષ્ટ બનાવે છે. અહીં જેટલી સરળતાથી નરી આંખે તારાઓ જોઈ શકાય છે, તેટલી જ સરળતાથી ટેલિસ્કોપની મદદથી દૂરના તારાઓ કે ગ્રહો પણ જોઈ શકાય છે. આથી જ ૧૯૯૯માં જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું ત્યારે વિશ્વના મોટા ભાગના દેશના વિજ્ઞાનીઓ પોતાનાં મોંઘામૂલાં સાધનો સાથે સૂર્યનાં રહસ્યોને વધુ સમજવા માટે કચ્છ આવ્યા હતા.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 13/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 13/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ