કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી
ABHIYAAN|September 02, 2023
કચ્છનું વાતાવરણ, અહીંની જમીન ઔષધીય પાકોની ખેતી માટે ખૂબ અનુકૂળ હોવા છતાં પૂરતા બજારનો અભાવ, સરકારી યોજનાઓની કમી, માર્ગદર્શનની કમીના કારણે કચ્છના ખેડૂતો મીંઢીઆવળ અને ઇસબગૂલ જેવા પાકોને બાદ કરતાં અન્ય ઔષધીય પાકો બહુ ઓછા લે છે. જો તેમને નડતી મુશ્કેલીઓ દૂર થાય તો બાગાયતી ખેતીની જેમ જ ઔષધીય ખેતીમાં પણ કચ્છના ખેડૂતો કાઠું કાઢી શકે છે. લાલ લસણ, સરગવો, ગૂગળ, અરડૂસી, એલોવીરા જેવા પાકોનું ખૂબ થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. કચ્છમાં તુલસી, અશ્વગંધા, ફુદીનો, કાલમેઘ, કડુ કરિયાતું, સફેદ મૂસળી, જીવંતી જેવાં આયુર્વેદમાં મોટા પ્રમાણમાં વપરાતાં ઔષધોની ખેતી થાય તો જંગલોની જડીબુટ્ટી ખેતરોમાં પહોંચીને ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી શકે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી

ભૂતકાળમાં વારંવાર દુષ્કાળનો સામનો કરતાં કચ્છમાં છેલ્લાં થોડાં વર્ષોથી મેઘમહેર વધી છે. તેનો પૂરેપૂરો ફાયદો અહીંના પ્રયોગશીલ ખેડૂતો લે છે. આજે બાગાયત ક્ષેત્રે કચ્છ રાજ્યમાં મોખરાનો જિલ્લો બન્યું છે. જો અહીંના ખેડૂતોને પૂરતું માર્ગદર્શન, યોગ્ય બજાર મળે અને ઔષધીય કંપનીઓનો રસ વધે તો ઔષધીય પાકની ખેતીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં આગળ પડતો બની શકે. કચ્છની ઘણી જમીન અત્યાર સુધી પાણીના વાંકે રાસાયણિક ખાતર કે દવાના સ્પર્શ વિનાની છે. તેથી તેમાં ઑર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરવી વધુ સરળ છે. તેવી જ રીતે અહીંના સૂકા હવામાનના કારણે ઔષધીય પાકોના ગુમધર્મો અન્ય જગ્યાએ થતાં પાક કરતાં વધુ સારી રીતે જળવાઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે, પરંતુ આ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી કે વધુ કૃષિ નિષ્ણાતો ન હોવાના કારણે નવા પ્રકારના પાક માટેનું જરૂરી માર્ગદર્શન ખેડૂતોને મળતું નથી. સરકાર દ્વારા પણ ખેડૂતોને આ અંગે કોઈ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા નથી. આયુર્વેદિક ઔષધો બનાવતી વિવિધ કંપનીઓ પણ કચ્છમાં વધુ રસ લેતી નથી. તેથી જે થોડા ખેડૂતો ઔષધીય પાક લે છે તેમને પોતાનું ઉત્પાદન બજારમાં કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચવું પડે છે. બહુ ફાયદો તેમને મળતો નથી. જો પૂરતું માર્ગદર્શન મળે, પૂરતું બજાર મળે, પૂરતા ભાવ મળે તો વધુ ને વધુ ખેડૂતો આ પ્રકારના પાક લઈ શકે અને તેમને સારું વળતર પણ મળી શકે.

રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક મનોજભાઈ સોલંકી સાથે ઔષધીય પાકોની ખેતી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘કચ્છમાં આ પ્રકારની ખેતી વધુ નથી. છૂટાછવાયા પ્રયોગો અને પ્રયાસો જરૂર થાય છે, પરંતુ મોટા પ્રમાણમાં થતી નથી. ઔષધીય ખેતી કરનારાને ઉત્પાદન વેચવા માટે વધુ તકો નથી. સરગવા જેવાં ઉપયોગી વૃક્ષોની ખેતી થોડા ખેડૂતો કરે છે, પરંતુ તેમને પૂરતા ભાવ મળતાં નથી. જંગલમાં કુદરતી રીતે ઊગનારી વનસ્પતિ શતાવરી કે એકલકંઢોને જંગલમાંથી કાઢીને તેનાં મૂળ અમુક લોકો વેચે છે. તેવી જ રીતે એસેન્સિયલ પાકો જેવા કે લેમનગ્રાસ કે ખસ અમુક ખેડૂતો ઉગાડે છે. તેઓ તેમાંથી અર્ક કે તેલ કાઢીને પર્ફ્યુમ્સ બનાવવા માટે વેચે છે. ગૂગળ પણ એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તે કચ્છમાં ખૂબ સારી રીતે ઊગી શકે છે, પરંતુ તે પણ અમુક લોકો જ ખેતરમાં વાવે છે.’

この記事は ABHIYAAN の September 02, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の September 02, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 分  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 分  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 分  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 分  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 分  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 分  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 分  |
Abhiyaan Magazine 11/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 分  |
Abhiyaan Magazine 11/05/2024