कोशिश गोल्ड - मुक्त
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati
|July 31, 2023
જરત્કારુ યાયાવર હતા. એ એક જ ગામમાં બે રાત ન રોકાતા. આવા સદા ગતિશીલ ઋષિને શોધવા કઈ રીતે? વળી, જરત્કારુ ઉગ્ર તપસ્વી હતા અને ક્યારેય લગ્ન ન કરવા બાબતે એ દૃઢનિશ્ચયી હતા. એમને લગ્ન માટે મનાવવા કઈ રીતે?

તમામ સર્પોને બાળી નાખનારો જનમેજયનો સર્પયજ્ઞ યા તો યોજાય જ નહીં અને યોજાય તો સફળ ન થાય એ માટે શું થઈ શકે એની વિચારણા માટે સર્પોના રાજા વાસુકિએ બેઠક બોલાવી. એ બેઠકમાં છળ, કપટ, પુરોહિતોની હત્યા તેમ જ સ્વયં જનમેજયની હત્યાને લગતાં સૂચનો આવ્યાં, પરંતુ વાસુકિને આ સૂચનો ધર્મયુક્ત ન લાગ્યાં.
નાગરાજ વાસુકિ ભારે ધર્મનિષ્ઠ હતા. એટલે જ તો એ શિવજીના અત્યંત લાડલા બનેલા અને શિવજીના ગળામાં આભૂષણની જેમ વીંટળાઈ રહેવાનું સૌભાગ્ય એમણે મેળવેલું. આ ધર્મનિષ્ઠ વાસુકિ જનમેજયને રોકવા બાબતે મક્કમ હતા, પરંતુ આ કાર્ય યેનકેન પ્રકારેણ નહીં, બલકે સૌનું કલ્યાણ થાય એ રીતે પાર પાડવાનો એમનો આગ્રહ હતો.
અહીં મોહનદાસ ગાંધીનો સત્યાગ્રહ યાદ આવે. લડવાનું ખરું, પરંતુ એવી રીતે લડવાનું, જેથી બન્ને પક્ષને લાભ થાય. ગાંધી પોતાના સત્યાગ્રહ નામના હથિયારને એવી કાલ્પનિક તલવાર સાથે સરખાવતા, જેનાથી લડનારનું પણ ભલું થાય અને જેની સામે લડવામાં આવે એનું પણ ભલું થાય.
– તો છેવટે જ્યારે વાસુકિના સર્પબંધુ એલાપત્રે એવું કહ્યું કે એણે છુપાઈને સાંભળેલી બ્રહ્માજીની વાત મુજબ, ઋષિ જરત્કારુના પુત્રની સમજાવટ જનમેજયને રોકી શકશે ત્યારે વાસુકિને લાગ્યું કે આવું થઈ શકે તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં.
પછી તો આ ઉપાય બાબતે સ્વયં બ્રહ્માજી સાથે વાત કરવાનો અવસર પણ વાસુકિને મળ્યો. થયું એવું કે સમુદ્રમંથન વખતે વાસુકિએ દેવોને મદદ કરી. દેવોને સમુદ્રને વલોવવા માટે પ્રચંડ મંદરાચલને ઘુમાવી શકે એવું નેતરું-દોરડું જોઈતું હતું. એવું સક્ષમ નેતરું બન્યા નાગરાજ વાસુકિ. પછી મંથન થયું. દેવોને અમૃત મળ્યું. આ મહાકાર્યમાં સેવા આપનારા વાસુકિને દેવો બ્રહ્માજી પાસે લઈ ગયા અને એમણે બ્રહ્માજી કહ્યું: ‘આ વાસુકિએ અમને ઘણી મદદ કરી છે. એમના મનમાં એક પીડા છે. આપ એ પીડા દૂર કરવામાં એમને મદદ કરો.’
यह कहानी Chitralekha Gujarati के July 31, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size