Essayer OR - Gratuit
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
Chitralekha Gujarati
|April 29, 2024
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.

જો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વિવાદમાં છેલ્લી ઘડીએ કાંઈ નવાજૂની ન થાય તો ૨૦૨૪ની લોકસભાની આ ચૂંટણી ગુજરાતમાં ક્ષત્રિયોના વટ અને શાસકોની હઠ માટે જાણીતી બનશે. મંગળવાર, ૧૬ એપ્રિલની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આંદોલને ચડેલા ક્ષત્રિયો અને ભાજપ વચ્ચે કોઈ સમાધાન થયું નથી અને રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફૉર્મ ભર્યા પછી પુરુષોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર હશે એ સાફ થઈ ચૂક્યું છે.
૧૪ એપ્રિલે રાજકોટમાં વિશાળ સંમેલન દ્વારા ક્ષત્રિયોએ શક્તિપ્રદર્શન કર્યું એ પછી ભાજપ પારોઠનાં પગલાં ભરશે કે કેમ એ મુદ્દે ખાસ્સી ચર્ચા ચાલી, પણ ન તો ભાજપ ટસનો મસ થયો કે ન ક્ષત્રિયો ઝૂકવા તૈયાર થયા. ક્ષત્રિયોના આ શક્તિપ્રદર્શન સામે ફૉર્મ ભરતી વખતે પુરુષોત્તમ રૂપાલાએ પણ પદયાત્રા અને જાહેરસભા થકી સામે શક્તિપ્રદર્શન કર્યું છે. સામસામાં શક્તિપ્રદર્શનો પછી દેખીતી રીતે જ સમાધાનનો રસ્તો સાંકડો થઈ ચૂક્યો છે.
તૃપ્તિમાં રોલ મિતનાં અવાર ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિનાં અગ્રણી તૃપ્તિબા રાઓલ ચિત્રલેખા સાથેની વાતચીતમાં આંદોલન ચાલુ જ હોવાનો વિશ્વાસ દર્શાવતાં કહે છેઃ ‘અમે ૧૯મીએ ફૉર્મ પાછું ખેંચવાની મુદત પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈશું, નહીં તો એ પછી આગળની રણનીતિ અમલમાં મૂકીશું.’ પરંતુ રૂપાલા જેવા મોટા ગજાના ઉમેદવાર પાસે ફૉર્મ ભરાવીને પાછું ખેંચાવાય તો રૂપાલા અને ભાજપ બન્નેની આબરૂ જાય એ જોતાં એવી શક્યતા નહીંવત્ છે. વળી, રાજકોટના સંમેલન પછી જ આંદોલન સંકલન સમિતિના અગ્રણીઓના વલણને લઈને પદ્મિનીબા વાળાની કથિત ઑડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે, જેમાં આંદોલનકારીઓ અને સમિતિના અગ્રણીઓ વચ્ચેના મતભેદો બહાર આવ્યા છે. જો આ વાત સાચી હોય તો ભાજપ આંદોલનકારીઓમાં તડાં પડાવીને સંભવિત નુકસાન ખાળવાની રણનીતિ અપનાવી શકે છે.
રાજકોટમાં ક્ષત્રિયોએ મસમોટું સંમેલન યોજી એમની તાકાત દેખાડી એના બે જ દિવસમાં પુરુષોત્તમ રૂપાલા વાજતેગાજતે ઉમેદવારીપત્ર ભરવા નીકળ્યા.
Cette histoire est tirée de l'édition April 29, 2024 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size