Essayer OR - Gratuit
લોન માટે પર્સનલ ગૅરન્ટર બનવાનું બહુ મોંઘું પડી શકે!
Chitralekha Gujarati
|December 12, 2022
શું તમે તમારા મિત્ર કે સગાંસંબંધીએ લીધેલી લોન માટે ગૅરન્ટર બન્યા છો? કે પછી તમે પ્રમોટર-ડિરેક્ટર તરીકે કંપનીનાં ધિરાણ સામે પર્સનલ ગૅરન્ટી આપી છે? તો તમારે અમુક વાત સમજી લેવી જરૂરી છે, કારણ કે લોનની ચુકવણીમાં એ ડિફૉલ્ટ થશે તો એની ભરપાઈની જવાબદારી ગૅરન્ટર તરીકે તમારા પર આવી શકે છે. આમ કઈ રીતે બને? એમાં શું મુશ્કેલી આવી શકે? એના શું ઉપાય થઈ શકે? વગેરે બાબત સમજી લો.

સગાં-સંબંધી કે મિત્રો પર ભરોસો રાખીને કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરો ત્યારે એટલું ધ્યાન રાખો કે..
ભારતીય બૅન્કોમાં નૉન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની ગંભીર સમસ્યા હદે વધવા લાગી ત્યાર પછી એના નક્કર ઉપાય તરીકે સરકારે ઈન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી)નો અમલ શરૂ કર્યો. શરૂઆતમાં તો આ નિયમનો પણ દુરુપયોગ થતો હોવાની છાપ ફેલાઈ. જો કે હવે લોનના ડિફૉલ્ટ સંબંધે આઈબીસી હેઠળ કડક કાર્યવાહી થવા લાગી છે.
હવે કંપનીઓએ નહીં ચૂકવેલી લોનની વસૂલી માટે એમના પર્સનલ ગૅરન્ટરની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦થી અત્યાર સુધીમાં વિવિધ બૅન્કો દ્વારા કુલ ૧.૨૫ લાખ કરોડ રૂપિયાની રિકવરી માટે ૧૪૦૦ કરતાં વધુ પર્સનલ ગૅરન્ટરને બૅન્કરપ્સી ટ્રિબ્યુનલ સમક્ષ લઈ જવામાં આવ્યા હોવાનું ઈન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઈન્ડિયા (આઈબીબીઆઈ)ના આંકડા દર્શાવે છે.
ગૅરન્ટર બનતી વ્યક્તિ શું સમજે છે?
કોઈ પણ બૅન્ક પાસેથી લોન લેતી વખતે ગૅરન્ટર બનેલી મોટા ભાગની વ્યક્તિઓને એમ લાગતું હોય છે કે એમણે તો માત્ર સહી આપીને છૂટા થઈ જવાનું છે. જેમને કાયદાની આંટીઘૂંટીઓનું થોડું જ્ઞાન છે એ પણ એમ જ વિચારે છે કે લોન લેનારા પાસેથી વસૂલી કરવા માટેના બધા રસ્તા બૅન્કે અપનાવ્યા પછી છેલ્લે જ એમની પાસેથી લોન ભરપાઈ માટેના પ્રયાસ કરવામાં આવશે.
જો કે આ મામલે વાસ્તવિકતા સમજવા જેવી છે. લોન લેનારી વ્યક્તિ લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય ત્યારે બૅન્ક એના ગૅરન્ટર પાસે વસૂલી કરવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે. બૅન્કે પહેલાં લોન લેનારી વ્યક્તિ પાસેથી એ વસૂલ કરવાના બધા પ્રયાસ કરવા જોઈએ એવી ગૅરન્ટરની દલીલ અદાલતમાં ચાલતી નથી.
ગૅરન્ટર વિશે બૅન્કો શું માને છે?
Cette histoire est tirée de l'édition December 12, 2022 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size