Facebook Pixel પ્રવાસન | ABHIYAAN - news - Lee esta historia en Magzter.com

Intentar ORO - Gratis

પ્રવાસન

ABHIYAAN

|

SambhaavMETRO 16-05-2026

લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ

પ્રવાસન

લેહ-લદ્દાખનું નામ પડતાં જ મે મહિનાની ચાલીસ ડિગ્રીના ધોમ ધખતા તડકામાં જાણે ઍરકન્ડિશનને વીસ ડિગ્રીએ સ્થિર કર્યું હોય એવું ટાઢોડું વ્યાપી જાય છે અને થાય છે કે એસીનું હજારોનું બિલ ભરવા કરતાં એક આખો મહિનો લેહમાં વહેતી સિંધુના કિનારે રહેલા હોમ-સ્ટેમાં રહીને લેહના સ્થાનિક બૌદ્ધ મઠો explore કરીએ. તે મઠોના ગર્ભગૃહમાં બૌદ્ધ મૂર્તિ સમક્ષ ધ્યાન ધરી, મંત્રોચ્ચા૨ કરીએ અને તિબેટન બુદ્ધિઝમ, તેનાં વિધિવિધાનો શું છે? બૌદ્ધ ધર્મના Frescos અને Murals એટલે ભીંતચિત્રો અને મરુન અને પીળા રોબમાં તિબેટન બુદ્ધિઝમ ૫૨ જીવન સમર્પિત કરતાં બૌદ્ધ સાધુઓનું જીવન શું છે તે જાણીએ.

આવો એક વિચાર લઈને કે પ્રવાસની આવી એક પોતીકી રખડુ રીત લઈને લદ્દાખ જેવા ભારતના સૌથી ઊંચા પદા૨ [Plateau] પ્રદેશમાં આવેલા લેહ ગામમાં પહોંચ્યા પછી લેહમાં આવેલી અનેક મોનેસ્ટરીમાંની એક એવી સ્પિતુક મોનેસ્ટી કે સ્પિતુક બૌદ્ધ મઠને વિવિધ રીતે જોવા-જાણવાની અભ્યાસુ મજા લેવા જેવી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંત૨૨ાષ્ટ્રીય હવાઈમથકેથી દિલ્હીના વન સ્ટોપ સહિતની અમદાવાદ-લેહ ફ્લાઇટ દ્વારા લેહ પહોંચ્યા પછી કે મિડ-મે કે જૂનના પ્રથમ સપ્તાહમાં ખૂલતા મનાલી-લેહ હાઈવે પરની રોડ ટ્રિપ કરીને લેહ પહોંચ્યા પછી પોતાની પ્રકૃતિને પ્રથમ લેહના વાતાવરણમાં અનુકૂલન સાધવા દઈને કે પોતાના શરીરને લેહના ૧૧,૦૦૦ ફૂટ ઊંચા high altitude વાતાવરણમાં યોગ્ય રીતે ગોઠવી લેહમાં રહેલી સ્પિતુક મોનેસ્ટરીનાં દ્વાર ખખડાવી શકાય. લેહના મેઇન બસ સ્ટેન્ડથી આઠ કિલોમીટ૨ અને લેહ ઍ૨પોર્ટથી walkable એવા ચાર-પાંચ કિલોમીટરના અંતરે રહેલી આ મોનેસ્ટરી સ્પિતુક નામના પર્વતોથી ઘેરાયેલા રૂપકડા ગામમાં રહેલી છે અને ૧૦,૮૫૨ ફૂટની ઊંચાઈએ એક ટેકરી પર રહેલી છે.

લેહ-લદ્દાખનો પ્રવાસ કરવાવાળા વિવિધ પ્રકારના પ્રવાસીઓમાંથી જુવાન, રખડુ અને એકલવી૨ હિમાલયપ્રેમીઓ તો ચાર-પાંચ કિલોમીટર ચાલીને સ્પિતુક બૌદ્ધ મઠ સુધી પહોંચે છે અને એ વૉકમાં વચ્ચે આવતા લૅન્ડસ્કેપને કૅમેરાની ઝોળીમાં ભરીને સ્પિતુકને એક આખો દિવસ બક્ષી અને explorationનો અનેરો આનંદ અંકે કરે છે.

MÁS HISTORIAS DE ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?

અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ

અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

એમેઝોન નદી પર એક પણ પુલ નથી

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!

સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ધરપકડ

'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં...

રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા

time to read

7 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

એક અહિંસક ‘ગન’-લગન!

તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે

દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

Listen

Translate

Share

-
+

Change font size