ગદાધર વિષ્ણુ જ્યાં વસે છે..
ABHIYAAN|September 02, 2023
શામળાજીની બાહ્ય દીવાલો પર વિષ્ણુ, વરુણ, વાયુ, ગરુડ, ગણેશ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, શિવ, સરસ્વતી, ચંડિકા, અગ્નિ અને ઇન્દ્રનાં શિલ્પો પણ છે
રક્ષા ભટ્ટ
ગદાધર વિષ્ણુ જ્યાં વસે છે..

ભારતમાં સ્થિત અનેક વિષ્ણુ મંદિરોમાં તિરુવનંતમપુરમનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર અતિ સમૃદ્ધ વિષ્ણુ મંદિર ગણાય છે. જ્યારે ઉત્તરાખંડમાં સ્થિત બદ્રિનાથ મંદિર તો દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા યાત્રીઓથી જ સમૃદ્ધિનાં શિખરો આંબતું રહે છે.

બીજું કે વિષ્ણુના ૧૦૮ દિવ્ય ક્ષેત્રના ભારત દેશમાં ભગવાન વિષ્ણુનાં મંદિરો આજન્મ પ્રવાસીએ તો પણ બાકી રહે તેટલાં છે અને તેવા અખૂટ ખજાનામાંનું એક મંદિર છે ઉત્તર ગુજરાતનું આપણું શામળાજીનું મંદિર.

ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં સ્થિત આ ઐતિહાસિક વિષ્ણુ મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. અરવલ્લીની પર્વતમાળાથી ઘેરાયેલું શામળાજીનું આ મંદિર પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્રપુરી, રુદ્ધેયા, ગદાધર ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. ગુજરાતના સીમાડે લગભગ મેવાડની ધાર પર સ્થિત આ મંદિર ગુજરાતના પંદરમી સદી પછી બંધાયેલાં મંદિરોમાં ઉત્તમ તો ગણાય જ છે, પરંતુ અરણ્યનું સૌંદર્ય લઈને લાખો લોકોને આકર્ષતું આ મંદિર તેના શિલ્પ સૌંદર્યને કારણે સ્થાપત્ય પ્રેમીઓનું પણ ચહિતું ગંતવ્ય છે.

જગતીનો વિશાળ ભાગ ધરાવતાં આ ઉત્તરાભિમુખ મંદિરમાં મૂળ સ્થાન તો ભગવાન ગદાધરનું મંદિર છે જે મોટા હાથીઓવાળા પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તદલ દેવાલયરૂપે દેખાય છે. ગજથર અને તોરણવાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરનાં પગથિયાં નજરે ચડે છે અને નજરે ચડે છે ચાલુક્ય શૈલીનું બે માળનું શામળાજીનું મંદિર પણ.

અહીંના વનવાસીઓમાં ધોળીધજા તરીકે ઓળખાતા આ મંદિરનાં પગથિયાં ચડ્યા પછી સભામંડપ, અંતરાલ અને ગર્ભગૃહ આવે છે. આમ જુઓ તો મંદિરની અંદરની દીવાલો પર અને મંદિરના સ્તંભો ઉપ૨ પણ મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભો પર જોવા મળે છે એટલું કોતરકામ નથી, પરંતુ ફૂલવેલ જેવી આકૃતિ ધરાવતાં સ્તંભો ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એવા ત્રણ કલાત્મક ભાગમાં વહેંચાયેલા છે.

Esta historia es de la edición September 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/05/2024