કચ્છની ઐતિહાસિક વિરાસતો લોકોમાં આકર્ષણ ઊભું કરે છે. તેમાં પણ ઓછી ઊંચાઈના ડુંગરો ધરાવતા કચ્છમાં સેંકડો વર્ષોથી રાજાઓએ કિલ્લાઓ બંધાવ્યા છે. તે પહેલાં પણ સિંધુ સંસ્કૃતિના અવશેષો કચ્છમાં જ્યાં જ્યાંથી મળે છે, ત્યાં ત્યાં કિલ્લા હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આજે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું કચ્છ રાજાશાહી જમાનામાં પણ સિંધ જેવા દુશ્મન રાજ્યની ખૂબ જ નજીક હતું. તેથી જ પોતાના રાજ્યની, નગરોની અને પ્રજાની રક્ષા કરવા માટે કચ્છના રાજવીઓએ કિલ્લાઓ બાંધવાને મહત્ત્વ આપ્યું હતું. કચ્છમાં વિશેષતઃ જમીન ઉપરના કિલ્લાઓ વધુ જોવા મળે છે. ડુંગર ઉપર પણ અમુક જગ્યાએ કિલ્લાઓ બનાવાયા છે. કચ્છમાં ૩૦૦થી વધુ કિલ્લાઓ છે. રાજસ્થાનની માફક જો આ કિલ્લાઓની જાળવણી થાય, પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાય તો પ્રવાસનની દૃષ્ટિએ નવું આકર્ષણ ઊભું થઈ શકે તેમ છે.
માનવ જ્યારથી સમજણો થયો, પરિવારમાં રહેતો થયો ત્યારે ટાઢ, તડકા વરસાદથી બચવા ઘર બનાવ્યાં, પોતાની ટોળીના તાકાતવાન વ્યક્તિને તેણે મુખી તરીકે સ્વીકાર્યો. આ મુખીએ પોતાની ટોળીના રહેઠાણો માટે ગામ બનાવ્યાં અને ગામના રક્ષણ માટે કિલ્લાઓ બનાવવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે. કચ્છમાં કિલ્લાઓ શત્રુથી બચવા માટે બનાવાયા હતા. રાજાશાહી જમાનામાં સિંધ પ્રાંતના ખોસા લોકો ખૂબ લૂંટફાટ કરતા હતા. આ લોકો આસપાસના ગામમાં જઈને ઊંટ, ગાય, બકરી, ઘેટાં જેવું પશુધન લૂંટી અને ગામ સળગાવીને જતા હતા. તેનાથી રક્ષણ કરવા માટે પણ કિલ્લા કે ગઢ ખૂબ ઉપયોગી થતા હતા. સરહદી વિસ્તાર નજીકના અબડાસા તાલુકામાં તો દર ૫-૬ કિ.મી.ના અંતરે કિલ્લા જોવા મળે છે. દેશનાં અન્ય રાજ્યોના કિલ્લાની સરખામણીમાં કચ્છના કિલ્લાઓ નાના અને સાદા ગણાય છે, પરંતુ આ કિલ્લાઓ બહારી હુમલા સામે ભારે ટક્કર ઝીલીને અભેદ્ય રહ્યા હતા.
Esta historia es de la edición Abhiyaan Magazine 11/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 11/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે
એજ્યુકેશન સ્પેશિયલ
શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?
વાયરલ પેજ
નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી
એનાલિસિસ.
ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?