ફેશનમાં છવાઈ કચ્છી કલા
ABHIYAAN|August 26, 2023
કચ્છી વણાટકામ, ભરતકામ, આભલાં તથા કોડીનું કામ વિખ્યાત છે. આજે ફૅશનમાં ઇનટ્રેન્ડ કહેવાતા વિવિધ પ્રકારના ડ્રેસીસમાં કચ્છી પરંપરા છવાઈ ગઈ છે. જિન્સ પર પહેરાતાં ટોપ હોય કે કોર્ડ સેટ હોય કે સાડી હોય કે નવરાત્રિના ચણિયાચોળી હોય, તમામ જગ્યાએ કચ્છીકામ શોભે છે.
ફેશનમાં છવાઈ કચ્છી કલા

કચ્છની હસ્તકલા વિશ્વવિખ્યાત છે. ગામડાંમાં વસેલા વિવિધ સમુદાયોના લોકોની પોતાની આગવી કલા હોય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાનાં ખેતી અને પશુપાલનનાં રોજિંદા કામની સાથે-સાથે ખૂબસૂરત રંગબેરંગી ભરતકામ કરતી હોય છે. અજરખ પ્રિન્ટ અહીંનું આગવું છપાઈકામ છે. તેવી જ કાલા કોટનમાંથી કાપડ કે સાડી પણ કચ્છમાં જ બને છે. પહેલાં અહીંના લોકો મુખ્યત્વે પોતાના વપરાશ માટે પોતાની કલા વાપરતાં હતાં, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી આ કામની કિંમત વિદેશીઓની સાથે-સાથે ભારતના કસબીઓએ જાણી હોવાથી તેમના કામની માંગ વધી છે, જેના પરિણામે તેમને સારું વળતર પણ મળવા લાગ્યું છે. કચ્છનું પરંપરાગત ભરતકામ, વણાટકામ કે છપાઈ કામ યુવાઓમાં ખૂબ ચાલતી ફેશનમાં વણી લેવાયું છે. યુવતીઓમાં પ્રચલિત ટોપ, પ્લાઝો સેટ કે કોર્ડ સેટમાં કચ્છી બનાવટના કાપડ, કચ્છી પ્રિન્ટના કાપડ કે કચ્છી હાથભરતના કામે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આજે કચ્છ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં અજરખ પ્રિન્ટના કાપડનો ઉપયોગ વધ્યો છે. નવરાત્રિનાં વસ્ત્રોમાં પણ કચ્છી કલા હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે. કચ્છી કલાનો પ્રસાર કરતાં વસ્ત્રો બનાવડાવીને વેચનારા, હસ્તકલાઓ સાથે સંકળાયેલા લોકો પણ વધવા લાગ્યા છે. કચ્છી કલાના સ્ટોર્સ પણ દેશભરમાં અલગ અલગ જગ્યાએ લોકોમાં આવકાર પામી રહ્યા છે. સમય જતાં કાપડના પ્રકારમાં, રંગોના વૈવિધ્યમાં, ડ્રેસના વૈવિધ્યમાં બદલાવ આવ્યો છે.

કચ્છી કલાવાળાં વસ્ત્રો થોડાં મોંઘાં પડતાં હોવા છતાં જાણકારો તે માટે આગ્રહ રાખે છે, પરંતુ અન્ય તમામ ક્ષેત્રની જેમ જ આ ક્ષેત્રમાં પણ મશીનવર્ક હસ્તકલાનું સ્થાન લઈ રહ્યું છે. મશીનની મદદથી આબેહૂબ વણાટકામ, છપાઈકામ, ભરતકામ કરીને, મૂળ કચ્છી હસ્તકળાના નામે સસ્તાભાવે વસ્તુઓ વેચવાનું પ્રમાણ વધ્યું છે. અનેક લોકો આવી વસ્તુઓ ખરીદીને છેતરાઈ રહ્યા છે.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024