છેલ્લાં પાંચેક વર્ષથી વૈશ્વિક કક્ષાએ જે રીતે આર્થિક પરિબળો સક્રિય થયાં છે તે જોતાં ક્ષિતિજ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે અમેરિકા આવનારા દસ વર્ષમાં આર્થિક રીતે પાયમાલ થઈ જશે. એની સાથે સાથે વિશ્વના ઘણા દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે, પરંતુ આવા વિકટ વૈશ્વિક પરિબળો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત બનીને ૨૦૩૫ સુધીમાં વૈશ્વિક કક્ષાએ ટોચનાં ત્રણ સ્થાન પર પહોંચી જશે એમાં કોઈ સંદેહ હવે વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રીઓને પણ નથી.
માર્ચ ૨૦૨૩ અમેરિકા માટે આર્થિક રીતે લોહિયાળ બની રહ્યો છે. અમેરિકાની સૌથી જાણીતી બૅન્કોમાંની એક સિલિકોન વેલી બૅન્ક કે જે યુએસમાં $૨૧૫ બિલિયન (રૂ. ૧૭,૬૫૦ બિલિયન) થી વધુની સંપત્તિ સાથે ટોચની વીસ બૅન્કોમાંની એક ગણાય છે તે પડી ભાંગી. યુએસ ટ્રેઝરી સિક્યૉરિટીઝ પર વ્યાજ વધારાને કારણે બૅન્કને $૧.૮ બિલિયન (રૂ. ૧૪૭.૬ બિલિયન)નું જંગી નુકસાન થયું.
ત્યાર પછીના થોડા દિવસોમાં જ $૧૧૦ બિલિયન (રૂ. ૯,૦૨૦ બિલિયન)થી વધુ અસ્કયામતો ધરાવતી ન્યૂ યૉર્ક સ્થિત સિગ્નેચર બૅન્ક પડી ભાંગી, કારણ કે તેની થાપણો યુએસ ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ કોર્પોરેશનની મહત્તમ અનુમતિપાત્ર મર્યાદાને ઓળંગી ગઈ હતી. તે જ સમયમાં $૨૧૫ બિલિયનથી વધુ સંપત્તિ ધરાવતી ફર્સ્ટ રિપબ્લિક બૅન્કના શેરની કિંમતમાં ૬૭% જેટલો અને વેસ્ટર્ન એલાયન્સ બૅન્કમાં ૯૦% ઘટાડો થયો.
માત્ર આટલું જ નહીં, પરંતુ અમેરિકાની લગભગ દરેક અગ્રણી ખાનગી બૅન્કની ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવી છે. આ બધા પહેલાં સિલ્વરગેટ બૅન્ક તથા ક્રિપ્ટોકરન્સીમાં કામ કરતી અન્ય સંસ્થાઓ પણ માર્ચ ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં તરલતાના મુદ્દાઓને કારણે નિષ્ફળ ગઈ હતી. અમેરિકન નાણાકીય સંસ્થાઓ જે રીતે એક પછી એક ડૂબી રહી છે તે અમેરિકા જેવી આર્થિક મહાસત્તા માટે એક પ્રકારના આર્થિક વિનાશના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે એવું સ્પષ્ટ રીતે કહી શકાય.
આ તમામ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસે તેમની નિષ્ફળતા માટે યુએસ ટ્રેઝરી બોન્ડ પરના વ્યાજનો મુદ્દો જ સીધી રીતે જોડાયેલો છે. વિશ્વમાં યુએસ ડૉલરની માગ ઘટી રહી હોવાથી યુએસ ટ્રેઝરી બોન્ડ પણ ઘટી રહ્યા છે અને તેમને ફ્લોટ કરવા માટે બૅન્કો પાસે ઊંચા વ્યાજ દરો ઑફર કરવા સિવાય કોઈ ઉકેલ નથી અને એને કારણે જ આ તમામ બૅન્કોની તરલતામાં છિદ્રો પડી ચૂક્યા છે એવું સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થઈ રહ્યું છે.
Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?