ઇમરાન દલ
રાજકોટમાં શાસકે લોકોને આપેલું વચન પાળ્યું ન હોવાથી માર્ચ, ૧૯૩૯માં ગાંધીજી ઉપવાસ ઉપર ઊતર્યા હતા એ સમયનું દ્રશ્ય.
ગાંધીજીના ભારત આગમન બાદ જે આંદોલનો થયાં એમાં સૌરાષ્ટ્રની ભાગીદારી થઈ, એ પહેલાંથી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ બની હતી જેણે આ વિશાળ પંથકની પ્રજામાં આઝાદીના ખયાલનાં બીજ રોપ્યાં હતાં. જેમ કે ગાયકવાડ શાસને ઓખા મંડળ (દ્વારકા, ઓખા, બેટ વગેરે)માં વસતા વાઘેરોની જમીન છીનવી લેતાં ઈ.સ.૧૮૨૦થી વાઘેરોએ સંગ્રામ શરૂ કર્યો હતો. ૧૮૫૭નો વિપ્લવ થયો એ વખતે વિદ્રોહીઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં સફળ થયા હોવાની ઓખા મંડળમાં અફવા ફ્લાઈ, જેને પગલે વાઘેરોનો જુસ્સો વધ્યો અને તેમણે ૧૮૫૮માં જોધા માણેક અને મૂળુ માણેકની આગેવાની નીચે ગાયકવાડ પાસેથી પોતાનો પ્રદેશ પાછો મેળવવવા સંગઠિત પ્રયાસો હાથ ધર્યા હતા. ગાયકવાડ શાસનને તેમણે હંફાવી દીધું હતું. છેક ૧૮૬૭ સુધી તેમનો સંઘર્ષ ચાલ્યો હતો. છેવટે મોટા ભાગની જમીનો તેમણે પરત મેળવી હતી.
જૂનાગઢ રાજ્યએ એના તાબા હેઠળના કેશોદ મહાલના મૈયા ગિરાસદારોને ચાકરિયાત ગણી તેમની પાસેથી જમીન મહેસૂલ તથા અન્ય વેરા લેવાનું ૧૮૭૭માં શરૂ કરતાં ભારે વિરોધ થયો. નારાજ થયેલા મૈયાઓ ૧૮૮૨ના ડિસેમ્બર માસમાં કનડા ડુંગર ઉપર જઈને રિસામણે બેઠા. એક માસ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો. જૂનાગઢની સેનાએ ૨૫ જાન્યુઆરી, ૧૮૮૩ના રોજ તેમના ઉપર હુમલો કર્યો. જેમાં ૮૫ મૈયાઓ મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટના મૈયાઓના હત્યાકાંડ' તરીખે ઓળખાઈ. આ રાક્ષસી કૃત્યથી જૂનાગઢ રાજ્યની આબરુંનું ધોવાણ થયું. હત્યાકાંડને પગલે સૌરાષ્ટ્રની અન્ય પ્રજામાં પણ પોતાનાં રાજ્યોના અત્યાચાર સામેનો આક્રોશ જન્મવા લાગ્યો હતો.
વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ, ભાવનગરને બાદ કરતાં અન્ય દેશી રાજ્યો ઇજારાશાહી અને આપખુદ સત્તા ચલાવતા હતા. એમના અત્યાચારી કાનૂન નીચે પ્રજા ચગદાતી હતી. રાજાઓને બ્રિટિશ શાસનનો ટેકો હોવાથી પ્રજાની ફરિયાદો સાંભળનાર કોઈ નહોતું. લોકો ઉપર સતત વેરો વધારવામાં આવતો હતો. મન ફાવે એ રીતે શોષણ કરવાનો અધિકાર હોય એમ રાજાઓ વર્તતા હતા. કરવેરાના નાણાં તેઓ વેડફી નાખતા હતા. આ શોષણ સામે છેવટે જનઆંદોલન જાગ્યું હતું.
સરધાર શિકાર સત્યાગ્રહ
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?