Versuchen GOLD - Frei
જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
Chitralekha Gujarati
|March 24, 2025
દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

હાલ ડાયમંડ નગરી તરીકે જાણીતું સુરત એક સમયે જરી ઉદ્યોગ માટે પ્રસિદ્ધ હતું. ખાસ તો જરદોશીકળા તો સુરતની જ એમ કહેવાતું. દિલ્હીના મુગલોથી દેશી રજવાડાંના શાસકો સુરતી જરદોશી પહેરતા. અરે, સુરતમાર્ગે મક્કા જનારા હજયાત્રીઓમાં પણ એ લોકપ્રિય બન્યું હતું. સોના-ચાંદીના દોરા અને એનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસ સુરતથી અન્ય દેશોમાં થતી. બ્રિટિશ શાસનના સમયગાળામાં જરી ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું હતું. સુરતના કિલ્લામાં ૧૮ અને ૧૯મી સદીમાં વપરાયેલાં સોના-ચાંદીના તારવાળાં જરદોશી વસ્ત્રો પ્રદર્શનમાં છે.
આ કળા નવી પેઢી માટે અજાણી છે, પણ એનું અસ્તિત્વ મટ્યું નથી. અગાઉ દેવદાસ ફિલ્મમાં માધુરીએ જરદોશીવર્કનાં વસ્ત્રો પહેર્યાં હતાં, જે સમાચારોની હેડલાઈન પણ બન્યાં હતાં. ઊલટાનું હવે ફરી જરી જરદોશીકળા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. હવે ફિલ્મકલાકારો કે અન્ય સેલિબ્રિટીનાં વસ્ત્રોમાં ને વડા પ્રધાનના પહેરવેશમાં સુદ્ધાં જરદોશીકળાની કારીગરી દેખાઈ આવે છે.
જરદોશી શબ્દ મૂળ જર અને દોઝી (દોશી) એ બે ફારસી શબ્દોમાંથી આવ્યો છે, જરનો અર્થ છે સોનું અથવા બીજી કીમતી ધાતુ અને દોઝીનો અર્થ છે સીવણ, જેને લોકો જરદોઝી, ઝરદોશી કે જરદોશી તરીકે ઓળખે છે. જરદોશી જરીનો જ એક પ્રકાર છે. જે વર્ષો પહેલાં માત્ર સોનાના તારમાંથી બનતી. પછી ચાંદીના તારમાંથી અને હવે તાંબાના તારમાંથી બને છે અને એના પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. આ આખી પ્રક્રિયા એક અજાયબી છે. સુરતમાં જરદોશી બનાવવાની કળામાં માત્ર મૂળ સુરતી એવો રાણા સમાજ નિપુણ છે અને જરદોશીવર્ક કરનારા મોટા ભાગે મુસ્લિમ કારીગરો છે.
હમણાં આઠ માર્ચે મહિલા દિન નિમિત્તે સુરતમાં પ્રથમ વખત જરી તથા જરદોશીકળાની ઓળખ માટે એક સ્પર્ધા યોજાઈ, જેમાં ૧૭૦ બહેનોએ ભાગ લઈને જરદોશીકળાનું કૌશલ્ય બતાવ્યું. વિજેતા બહેનોને સમ્માનિત પણ કરવામાં આવી.

Diese Geschichte stammt aus der March 24, 2025-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size