Versuchen GOLD - Frei
તેજસ્વી તારલા કેમ એકાએક ખરી પડે છે?
Chitralekha Gujarati
|August 21, 2023
આ વર્ષે સિત્તેર જેટલી સ્ટાર્ટ-અપ કંપનીએ સત્તર હજારથી વધુ કર્મચારીને છૂટા કર્યા, જેમાં ખાસ તો ઈન્ટરનેટ પર ચીજવસ્તુઓ વેચતી કંપનીઓ છે. શું છે કારણ આમ ધમધોકાર ચાલતા વેપારધંધા ઠપ થઈ જવાનું?

એમનું નામઃ વીરપ્પા ગંગૈય્યા સિદ્ધાર્થ હેગડે. ૧૯૯૬માં એમણે બેંગલુરુમાં એક કૉફી શૉપ ખોલી. ૨૦૧૯માં દેશનાં અઢીસો શહેરમાં એમની ૧૮૦૦ જેટલી કૉફી શૉપ હતી, દેશમાં એમણે એક નવીનવાઈનું કૉફી કલ્ચર સર્યું. એમની કૉફી શૉપનું સૂત્ર હતું: અ લૉટ કૅન હૅપન ઓવર કૉફી અને ખરેખર.. કૉફીના કપમાં વસંત નહીં, પણ વા-વંટોળ આવ્યું: ૩૧ જુલાઈ, ૨૦૧૯ની વહેલી સવારે મેંગલોર નજીક આવેલા ઉલ્લાલ શહેરની નેત્રાવતી નદીના કાંઠે કાફે કૉફી ડે (સીસીડી)ના સ્થાપક, ૫૯ વર્ષી વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો. છેલ્લા ૩૬ કલાકથી પોલીસટીમ ગુમશુદા સિદ્ધાર્થને શોધી રહી હતી.
આત્મહત્યા કરતાં પહેલાં સિદ્ધાર્થ એક લાંબા પત્રમાં જણાવેલું કે આન્ત્રપ્રેન્યૉર તરીકે હું નિષ્ફળ ગયો. આ બધા માટે હું, મારા અમુક ખોટા નિર્ણયો જવાબદાર છે. બહુ ટેક્નિકલ વિગતોમાં ન પડીએ, પણ સિદ્ધાર્થની અડધોઅડધ કમાણી કૉફી બિઝનેસ (કૉફી પ્લાન્ટેશન, કાફે તથા એક્સપોર્ટ)માંથી આવતી. નિષ્ણાતોને નવાઈ લાગતી કે કૉફી બિઝનેસમાં પ્રવૃત્ત સિદ્ધાર્થે શા માટે કન્સ્ટ્રક્શન, લૉજિસ્ટિક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ તથા ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી જેવા ધંધામાં પડવું જોઈએ. આ સાવ વિચિત્ર કહેવાય એવાં વૈવિધ્યકરણ હતાં. આમાંના મોટા ભાગના ધંધા ખોટમાં ચાલતા. એટલું જ નહીં, પણ મૂડીનું ધોવાણ થતું રહેતું. શુદ્ધ ગુજરાતીમાં કહે છે એમ, ગજાબહારનો વેપલો કરવામાં માટી ચારે કોરથી મૂંઝાણો હતો.
ગયા અઠવાડિયે (બીજી ઓગસ્ટ) હિંદી સિનેમાના અવ્વલ દરજ્જાના પ્રોડક્શન ડિઝાઈનર ૫૭ વર્ષી નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહ એમના એનડી ફિલ્મ સ્ટુડિયોમાંથી મળી આવ્યો. પોલીસતપાસમાં એવું બહાર આવ્યું કે એમણે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે એમના માથે આશરે ૧૦૦ કરોડ રૂપિયાનું કરજ હતું. શુક્રવારે (૪ ઓગસ્ટે) એમના જ સ્ટુડિયોમાં (જોધા અકબરવાળા) દરબારના ભવ્ય સેટ નજીક નીતિન દેસાઈના અંતિમસંસ્કાર થયા.
Diese Geschichte stammt aus der August 21, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size