Versuchen GOLD - Frei

શ્રદ્ધયા કૃતં ઈતિ શ્રાદ્ધમ!

Chitralekha Gujarati

|

September 19, 2022

આધુનિકતા તો સમાજનાં દરેક ક્ષેત્રે આવી છે, પરંતુ શ્રાદ્ધ જેવી પરંપરાને વધારે સ્પર્શી શકી નથી. કેટલાક સુધારાવાદીઓ એવી દલીલ કરે છે કે અહીં કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાથી કે પીપળે પાણી રેડવાથી દિવંગતના આત્માને શાંતિ કેવી રીતે મળે, પરંતુ એનો કોઈ જવાબ આપ્યા વગર સંખ્યાબંધ લોકો આ શ્રાદ્ધ કરે છે. આમ શ્રાદ્ધની મૂળ પરંપરા હજુ અકબંધ છે, પણ હા, દેશ-કાળ અને પાત્ર મુજબ નિયમોમાં થોડા ફેરફાર જરૂર જોવા મળે છે.

- મહેશ શાહ (સિદ્ધપુર) । જ્વલંત છાયા (રાજકોટ) । સમીર પાલેજા (મુંબઈ)

શ્રદ્ધયા કૃતં ઈતિ શ્રાદ્ધમ!

સોમનાથ મહાદેવના ચરણ પખાળતા અરબી સમુદ્ર નજીક ત્રણ નદી હીરણ, સરસ્વતી અને કપિલાનો સંગમ છે. આ ત્રિવેણી ઘાટ અસ્થિવિસર્જન કે શ્રાદ્ધ (ઘણા લોકો એનો ઉચ્ચાર શ્રાધ્ધ તરીકે કરે છે) માટે શ્રેષ્ઠ ગણાય છે. સોમપુરા બ્રાહ્મણો અહીં શ્રાદ્ધની વિધિ કરાવે છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાને લીધે ઓછા લોકો અહીં આવ્યા હતા, પરંતુ સામાન્ય રીતે તો શ્રાદ્ધકર્મ કરાવવા માટે બ્રાહ્મણોનું આગોતરું બુકિંગ થઈ જતું હોય છે. આ વર્ષે પણ ઘાટ પર શ્રાદ્ધની તૈયારી શરૂ થઈ ગઈ છે.

ભાદરવી પૂનમથી આ ધાર્મિક પ્રક્રિયા શરૂ થશે, જેનું અનેક રીતે સામાજિક પણ મહત્વ છે. ઘરે બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ થાય, મંદિરોમાં પણ થાય અને અહીં તો કેટલાંક એવાં સ્થળ છે, જે શ્રાદ્ધ માટે વિશેષ મહત્વ અને પૌરાણિક સંદર્ભ ધરાવે છે.

પ્રભાસ ક્ષેત્રનો હિસ્સો ગણાતા આ ત્રિવેણી ઘાટ પર સર્વપિતૃ શ્રાદ્ધ થઈ શકે છે. પાંડવોએ અહીં શ્રાદ્ધ કર્યું હોવાના સંદર્ભ છે. સ્કંદપુરાણ અને અંત્યેષ્ટિ કર્મપ્રકાશ ગ્રંથમાં શ્રાદ્ધની સંપૂર્ણ વિગતો છે. સોમનાથ વિસ્તારમાં ૩૦૦થી વધારે બ્રાહ્મણ શ્રાદ્ધની વિધિ કરાવે છે.

પિતૃઓને પ્રસન્ન કરવા કે એમને મોક્ષ અપાવવા માટે પીપળાનું પૂજન, કાગવાશ, શ્વાન તથા ગૌમાતાને ભોજન આપવાની પ્રાચીન પ્રથા હજી જળવાઈ રહી છે. આવી દરેક માન્યતા પાછળ શાસ્ત્રનો આધાર પણ છે.

મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણને ગાંધારીએ આપેલા શ્રાપ અનુસાર કૃષ્ણનો યદુવંશ પણ લડીને નાશ પામ્યો. આખરે કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમને એક ઋષિએ સંકેત આપ્યો કે તમારા કેટલાય વડવાઓ મૃત્યુ પછી પણ શાંતિ પામ્યા નથી. પ્રેતયોનિમાં છે. એમને પિતૃયોનિમાં ગતિ આપ્યા પછી તમે પ્રયાણ કરો. આમ જગતનું પ્રથમ મોક્ષકાર્ય કૃષ્ણ ભગવાને સોમનાથ પાસે ત્રિવેણી સંગમ ખાતે કર્યું હતું. શ્રાદ્ધ માટે સોમનાથનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે, કેમ કે નદી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ વહેતી હોય, સોમનાથમાં નદી પશ્ચિમથી પૂર્વ તરફ પ્રવાસ કરીને સમુદ્રમાં વિલીન થાય છે.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size