Versuchen GOLD - Frei
રણમાં ખીલ્યો પ્રવાસ ને પર્વત પર ઊગી સ્મૃતિ
Chitralekha Gujarati
|September 12, 2022
ભૂજમાં પ્રવેશ કરીએ ત્યાં જ તરત દેખાતો કચ્છના પ્રહરી સમાન ભૂજિયો ડુંગર કુદરતી રીતે તો સુંદર છે જ અને એનું ધાર્મિક મહત્વ પણ છે. હવે આ પર્વત પર અદ્યતન ‘સ્મૃતિવન’ બન્યું છે. ૨૦૦૧માં થયેલા ધરતીકંપમાં કચ્છમાં થયેલી તબાહી અને એ પછી કચ્છ સાધેલા વિકાસની ગાથા આધુનિક ટેક્નિકથી ત્યાં કહેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં આ સ્મૃતિવન ખુલ્લું મૂક્યું. આવો, આપણે પણ એમાં વિહાર કરીએ.

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના ભયાવહ ભૂકંપે કચ્છનું નામ વિશ્વના હોઠે ચડાવ્યું. બે દાયકા વીતી ગયા પછી એ જ ભૂકંપમાં ભાંગી ગયેલા કચ્છને પ્રવાસનના વૈશ્વિક નકશામાં અગ્રિમ હરોળમાં સ્થાન મળી ગયું છે. ધરતીકંપના થોડા મહિના પછી ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ સફેદ અગર (મીઠા)ની ચાદરમાં લપેટાયેલા અને સેંકડો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા રણમાં પ્રવાસનની તક જોઈ અને લો, કચ્છ માટે એક નવો દરવાજો ખૂલી ગયો.
કચ્છના પ્રવાસનના વિકાસની કથા આખું ભારત જાણે છે. એ સફેદ રણ વૈશ્વિક આકર્ષણ બન્યું અને આજે ભૂકંપનાં સાડા એકવીસ વર્ષ પછી એ જ ભૂકંપમાં જીવ ગુમાવી ચૂકેલા લોકોની સ્મૃતિમાં એ દિવંગતોની વેદનાના પ્રતીક સમું સ્મૃતિવન કચ્છની વૈશ્વિક ઓળખનું બીજું સોપાન બની જતાં હવે પ્રવાસનની દૃષ્ટિએ ખરા અર્થમાં કચ્છડો બારેમાસ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ બન્યો છે.
કેવું છે આ સ્મૃતિવન? એ સમજવા પહેલાં રવિવાર, ૨૮ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા સ્મૃતિવનના સ્થળ ભૂજના ઐતિહાસિક ભૂજિયા ડુંગર વિશે થોડું જાણી લઈએ.
ભૂજ શહેરની ઓળખ સમો ભૂજિયો ડુંગર જુરાસિક પાર્ક કાળનો મૃત જ્વાળામુખીથી સર્જાયેલો પર્વત છે. ડુંગરની ટોચ પર ભુજંગદેવ (નાગ)નું મંદિર છે. જે ડુંગરના નામ પરથી શહેરનું નામ ભૂજ પડ્યું છે એ ભૂજિયો ડુંગર રાજાશાહી સમયથી અનેક લડાઈઓથી ભૂજને રક્ષિત રાખવામાં નિમિત્ત બન્યો છે. ૧૯૭૧થી ૨૦૦૧ સુધી ભૂજિયા કિલ્લાની અંદર લશ્કરી દારૂગોળો રાખવામાં આવતો. એ કારણે ભૂજિયો સેનાના કબજામાં હતો. વર્ષમાં માત્ર એક વાર શ્રાવણ સુદ પાંચમના ભૂજિયાના મેળા નિમિત્તે એક જ દિવસ એને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવતો હતો.
Diese Geschichte stammt aus der September 12, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size