હાલો રે માનવીયું મેળે.., મેળામાં મારો મનનો માનેલ છે.., હું તો ગઈ’તી મેળે, મન ગયું એની મેળે મેળામાં હૈયું હણાઈને ગયું દળાઈ જોબનના મેળામાં..
સૌરાષ્ટ્રવાસીઓનાં મનમાં આવાં રમતિયાળ ગીતો ફરી રમી રહ્યાં છે. એમના હૈયે સંભળાઈ રહ્યો છે શિવભક્તિનો ધબકાર શિવ મહિમ્ન કે રુદ્રાષ્ટકમના શ્લોક એમનાં અંતરમાં ગુંજી રહ્યા છે.
શ્રાવણ એટલે શિવમય થવાનો મહિનો અને શ્રાવણ એટલે સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતના કેટલાક હિસ્સામાં મેળાનો મહિનો. પાછલાં બે વર્ષ સૌરાષ્ટ્રના પરંપરાગત લોકમેળા કોરોનાએ બંધ રખાવ્યા, પરંતુ આ વર્ષે વહીવટી તંત્ર મેળા યોજવા માટે અને લોકો એમાં મહાલવા માટે ઉમળકાભેર સજ્જ છે. આ આખો મહિનો એવો છે કે જેમાં સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને પ્રવાસ કરશે. ગામની ભાગોળથી લઈને ગોવાની ભૂગોળ અહીંની પ્રજા ખૂંદી વળશે.
શ્રાવણ-ભાદરવાનો સૌથી મોટો ઉત્સવ લોકમેળો છે. સૌરાષ્ટ્રના લોકમેળાની વિગતો ઘણી લાંબી છે અને જાણીતી છે. જામનગર, પોરબંદર, જેતપુર સહિતનાં શહેરોમાં મેળો યોજાય છે. ભૂજમાં હમીરસર તળાવની પાળે મેળો થાય. ચોમાસું જો સારું ગયું હોય તો મેળામાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે. આ બધામાં રાજકોટમાં યોજાતો મેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે. પાંચ દિવસમાં ૧૨થી ૧૫ લાખ લોકો અહીં ફરે છે, ખાય છે, ચકડોળમાં બેસે છે, ખરીદી કરે છે. મેળાના આર્થિક ઊથલાનો અડસટ્ટો લગાવીએ તો એક વ્યક્તિ સરેરાશ ૨૦૦ રૂપિયાનો ખર્ચ કરે તો પણ પ્રજા દ્વારા ૨૪ કરોડ રૂપિયા વપરાય. રિક્ષા કે પરિવહનનાં અન્ય સાધનના ખર્ચ જુદા. મેળામાં ખાણી-પીણી અને વિવિધ રાઈડ્સ પાછળ વ્યક્તિદીઠ સરેરાશ ૨૦૦ રૂપિયાનો ખર્ચ તો ઓછો ગણાય, કારણ કે રાત્રે પોલીસ ધક્કા મારીને બહાર કાઢે ત્યાં સુધીમાં ઘણા લોકો સરેરાશ ૨૦૦ રૂપિયાથી અનેકગણો ખર્ચ કરી ચૂક્યા હોય છે.
રમકડાંના સ્ટૉલધારક કે રેંકડી લઈને ઊભેલા કે પછી પાથરણાં પાથરીને બેસતા તદ્દન સામાન્ય વેપારીને પણ આ પાંચ દિવસ દરમિયાન આગામી ત્રણેક મહિનાની રોજગારી મળી જાય છે. ૨૦૧૮માં મેળાના આયોજનનો ખર્ચ બાદ કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને ૨.૪૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આવી આવકમાંથી જિલ્લામાં નવા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવે છે.
Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.