Versuchen GOLD - Frei
સાંબેલાના સૂર
ABHIYAAN
|Abhiyaan Magazine 29/11/2025
કરકસર માટે હું કોઈ કસર નહીં છોડું!!
કરકસર જ્યારે સંકોચાઈ જાય ત્યારે એ ‘કંજૂસાઈ’ નામે ઓળખાય છે. ‘કરકસર’ શબ્દની શાખ કહો, ઇમેજ કે છાપ કહો એ, ‘કંજૂસાઈ’ શબ્દ કરતાં ઘણી જ શાલીન છે. ‘તમારામાં કરકસરની વૃત્તિ સારી છે' એવું જ્યારે મને કોઈ કહે ત્યારે મારી છાતી, છત્રીસની મર્યાદા ઓળંગુ ઓળંગુ કરવા માંડે છે. ક્યારેક અમુક શબ્દો આપણાં દિલદિમાગને શાતા આપતા હોય છે. કરકસર વૃત્તિવાળી વ્યક્તિ સમાજમાં પ્રશંસા પામતી હોય છે. તો સામે પક્ષે જેની કરકસરવૃત્તિ માનસિક કુપોષણને કારણે કૃશકાય થઈ ગઈ હોય, સંકોચાઈ ગઈ હોય એની શાખ, એની ઇમેજ કે છાપ ‘કંજૂસ' તરીકેની પેદા થાય છે. કરકસર અને કંજૂસાઈ - બંને છે તો એક જ રાશિના - મિથુન રાશિના - પણ બંનેના ગુણધર્મોમાં આભ-જમીનનો ફેર છે.
હમણાં એક સરકારી કાર્યક્રમમાં હાજર રહેવાની તક મળી, પણ તકને હું મળી શક્યો નહીં. કાર્યક્રમ શરૂ થવાનો હતો સાંજે ૭ વાગે. અડધા કલાકમાં પહોંચી જવાશે એમ સમજી હું સવા છ વાગે બાઇક લઈને નીકળ્યો. કાર્યક્રમના સ્થળથી દોઢેક કિલોમીટર દૂર હોઈશ અને ટ્રાફિક જામ થવા માંડ્યો. પહેલાં તો થયું કે ક્યાંક તોફાન જેવું તો નહીં હોય? અમદાવાદ છે, કંઈ કહેવાય નહીં, પણ પછી જાણવા મળ્યું કે કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે જે પ્રધાન સાહેબ આવવાના હતા એમનું લાવલશ્કર જઈ રહ્યું છે. હું વિચારવા લાગ્યો કે કેન્દ્ર સરકાર અત્યારે કરકસરનાં પગલાં ભરવાનું ભૂલથી શરૂ કરી રહી છે અને અહીં પ્રધાન સાહેબ પેટ્રોલનો ધુમાડો કરે છે. સાવ કીડી વેગે ટ્રાફિક ખસી રહ્યો’તો. કંટાળીને હું બબડ્યોઃ ‘સરકારી ગાડીઓ આટલી ધીમી ચાલે છે?’ ત્યારે મારી બાજુમાં જ બાઇક ચલાવી રહેલા ભાઈએ કહ્યું: ‘સાહેબની આગળ એસ્કાર્ટ ગાડી અને પાછળ સિક્યુરિટી ગાર્ડની ગાડીઓ ચાલી રહી છે, પણ વચ્ચે સાહેબની ઊંટગાડી ચાલી રહી છે. ટ્રાફિક એટલે જામ થઈ ગયો છે.’
‘ઊંટગાડી’ મારાથી પૂછાઈ ગયું એટલે પેલાએ કહ્યું: ‘હા જી, સાહેબ કરકસરનાં પગલાં રૂપે આજે આખો દિવસ ઊંટગાડીમાં જ ફરવાના છે.’
મેં સહેજ અકળાઈને પૂછ્યું: ‘તમને કેવી રીતે ખબર?’ ત્યારે એણે પરસેવો લૂછતાં કહ્યું, ‘હું એમનો પ્રોગ્રામિંગ પી.એ. છું.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 29/11/2025-Ausgabe von ABHIYAAN.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON ABHIYAAN
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size
