يحاول ذهب - حر
કુદરત સાથેનો આપણો નાતો તૂટતો જ જાય છે...
September 29, 2025
|Chitralekha Gujarati
...અને એનાં માઠાં પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. પ્રકૃતિ સાથેના આપણા લાગણીના સંબંધને જાણે કાટ લાગી રહ્યો છે. એક પછી એક જે આફત ત્રાટકી રહી છે એ સૂચવે છે કે આપણે વિનાશના પંથે છીએ.

મહાભારત યુદ્ધ પછી ગાંધારીએ યુદ્ધના વિનાશ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણાવીને શાપ આપ્યો હતો કે યદુવંશનો નાશ થશે. એ શાપ પ્રમાણે યદુવંશીઓ એકબીજા સાથે લડીને નષ્ટ થયા. એ પછી ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પાછા ફરવા માટે પ્રભાસ તીર્થના જંગલમાં એકાંતમાં બિરાજમાન થયા.
એ યોગનિદ્રામાં હતા અને એમનો જમણો પગ કમળ જેવો લાલ અને કોમળ હતો. એ જ સમયે જરા નામનો શિકારી હરણનો શિકાર કરવા માટે જંગલમાં આવ્યો. દૂરથી એને ભગવાન શ્રીકૃષ્ણનો પગ હરણ જેવો લાગ્યો.
શિકારીએ ભૂલથી ભગવાનના પગ પર તીર માર્યું. કૃષ્ણના પગ પર તીર વાગવાથી એ જાગી ગયા. શિકારી નજીક આવતાં એણે જોયું કે ભૂલથી ભગવાનને તીર વાગ્યું છે. એ તરત જ ભગવાનના પગમાં પડ્યો અને માફી માગી. ભગવાને કહ્યું કે આ તો નિયતિનો ખેલ છે. મારે હવે સ્વધામ પાછા ફરવાનો સમય થઈ ગયો છે.
શિકારીએ ભૂલથી પણ પોતાનો જ વિનાશ નોતર્યો, કારણ કે જેણે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું એને જ ઈજા પહોંચાડી. આ ઘટના પગ પર કુહાડો મારવાની કહેવતને યોગ્ય રીતે દર્શાવે છે. અહીં કુહાડો એ તીર છે અને પગ ભગવાન શ્રીકૃષ્ણનો છે. આ શિકારીએ જાણીજોઈને નહીં, પણ અજાણતાં જ પોતાના પગ પર કુહાડો માર્યો, પણ આપણે તો જાણીજોઈને પગ પર કુહાડો મારી રહ્યા છીએ અને એનાં માઠાં ફળ ભોગવી રહ્યા છીએ, છતાં આપણે જાગતા નથી, કારણ કે આપણી નિદ્રા કુંભકર્ણ જેવી છે.
હમણાં યુનિવર્સિટી ઑફ ડર્બી-યુકેની સ્કૂલ ઑફ સાઈકોલૉજી દ્વારા એક અભ્યાસ જાહેર થયો છે. એનું નામ છેઃ નૅચર કનેક્ટેડનેસ એટલે કે પ્રકૃતિ સાથે લગાવ. માઈલ્સ રિચર્ડ્સન નામના પ્રોફેસર દ્વારા આ અભ્યાસ થયો છે અને એનું તારણ છે કે છેલ્લાં બસ્સો વર્ષમાં કુદરત સાથેના આપણા લગાવમાં ૬૦ ટકા સુધી ઘટાડો થયો છે. વર્ષ ૧૮૫૦થી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ થયું ત્યારથી કુદરત સાથેનો આપણો લગાવ સતત તૂટી રહ્યો છે. અને સ્થિતિ ક્યાં પહોંચી છે? ૨૦૨૦માં ઈઝરાયલની વિમેન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ દ્વારા સંશોધન થયું એ મુજબ, કચરાને છોડતાં ધરતી પર જેટલી માનવનિર્મિત વસ્તુ જમા થઈ છે એ દરેક પ્રકારનાં પ્રાણીઓની સંખ્યા કરતાં વધુ છે. માણસ જાણે પ્રાકૃતિક વિકાસવાદી સિદ્ધાંતોથી પર થઈ ગયો છે. સદીઓથી આપણામાં કોઈ જૈવિક પરિવર્તન આવ્યું નથી. આપણું શરીર અને દિમાગ એવાં ને એવાં જ છે.
هذه القصة من طبعة September 29, 2025 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size