પીયૂષ ગોયલ (કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગખાતાના પ્રધાન પીયૂષ ગોયલ વ્યવસાયે તો મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર. રાજનીતિમાં આવ્યા પછી એમણે ભારતીય જનતા પક્ષ અને સરકારમાં મહત્ત્વની કામગીરી બજાવી છે. ભારત સરકારની ઊર્જાનીતિના ઘડતરમાં નોંધપાત્ર પ્રદાન માટે એમને અમેરિકન યુનિવર્સિટીનો પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યો છે.)
દેશ સ્વતંત્ર થયો ત્યારે ભારતવાસીઓની આંખમાં અનેક સપનાં હતાં. લોકોમાં પ્રચંડ ઉત્સાહ હતો, શસ્ત્ર વગર બ્રિટિશ સત્તાને આપણે નમાવી હતી એટલે આત્મવિશ્વાસ પણ હતો... અને હા, સદીઓ અગાઉની વિશ્વશક્તિ બનવાનો, ભારત રાષ્ટ્રનું ગૌરવ પાછું લાવવાનો દઢ ઈરાદો હતો.
આ બધું જ હતું આપણી પાસે અને ધાર્યું હોત તો આપણે જે વિચાર્યું’તું એમાંથી ઘણું સિદ્ધ પણ કરી શક્યા હોત. કમનસીબે એ થયું નહીં. ભારતે એની આઝાદીનો અમૃત મહોત્સવ બે વર્ષ પહેલાં જ ઊજવ્યો. થોડી ક્ષણ માટે ઈતિહાસમાં પાછા જઈ વિચારીએ કે આપણે ઊણા ક્યાં અને કેમ ઊતર્યા? કેમ ભારત એની જનશક્તિના જોરે આગળ ન આવી શક્યો? કેમ ભારતે વર્ષોનાં વર્ષ અનાજની ખાધ ભોગવી? કેમ વર્ષો સુધી દેશની પ્રજાએ પાણીનાં ટીપાં માટે આંખ ઊંડી ઊતરી જાય એટલો સમય રાહ જોવી પડી?
રાજકારણ વચ્ચે ન લાવીએ તો પણ એટલું કહેવું પડે કે આઝાદી પછીનાં શરૂઆતનાં ઘણાં વર્ષો સુધી દેશમાં જે સંભાવના હતી, પ્રજાની ક્ષમતા હતી એના પ્રમાણમાં બહુ જ ઓછું કામ થયું. કબૂલ કે વિશાળ જનસંખ્યા, ગરીબી, નિરક્ષરતા જેવી ઘણી સમસ્યા હતી એ વખતે. દેશમાં ઔદ્યોગિક વિકાસ જેવું ખાસ કંઈ હતું નહીં. હતી તો બસ, લોકોની અપેક્ષા.
This story is from the April 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.