સમાજ ભલે કાયદો ગધેડો હોવાની કે ન્યાયની દેવીને આંધળી ગણવાની રમૂજ કરે, પણ અદાલત હંમેશાં પોતાનાં આંખ, કાન ખુલ્લાં રાખે છે અને એની ઝપટે ચઢનારને ગધેડા જેવા ગણાતા કાયદાથી પણ ધોળે દિવસે તારા દેખાડે છે.
આનો પરચો યોગગુરુ બાબા રામદેવને બરાબર મળી ગયો. એમની સામે ૧૯૫૪ના એક વિચિત્ર કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. એમાં બાબાએ પોતાની જીદ, મમત અને મિથ્યા અહંકાર દર્શાવીને પેલા વિવાદાસ્પદ કાયદાની વર્તમાન અપ્રાસંગિકતા કોર્ટમાં પુરવાર કરવાની અમૂલ્ય તક વેડફી નાખી ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરીને પોતાના જ પગ પર પાણો માર્યો.
ભૂતકાળમાં જઈએ તો ૧૯૫૪માં ઊંટવૈદો અને નીમ હકીમો દ્વારા ભોળા દરદીઓ સાથે કરાતી છેતરપિંડી પર અંકુશ મૂકવા ભારત સરકારે ડ્રગ્સ ઍન્ડ મેજિકલ રેમડીઝ (ઓબ્જેક્શનેબલ ઍર્ટિઝમેન્ટ) ઍક્ટ નામનો કાયદો કરેલો, એ અંતર્ગત અંધાપો, મોતિયો, કૅન્સર, બહેરાશ, પ્રોસ્ટેટની બીમારી, ફીટ, પથરી, ગ્લુકોમા, હૃદયરોગ, બ્લડ પ્રેશર, હિસ્ટેરિયા, ગાંડપણ, કોઢ, મેદસ્વીતા, ન્યુમોનિયા, નપુંસકતા, ટીબી, ટ્યુમર જેવી ૫૪ બીમારીને અનક્યૉરેબલ (સંપૂર્ણ સાજા ન થઈ શકાય એવી) ગણાવી એ મટાડતી જાહેરાતોને પ્રતિબંધિત કરવામાં આવી હતી.
આ કાયદો આજે કોઈને યાદ પણ નહીં હોય અને એટલે જ નૅચરોપથી, યુનાની, આયુર્વેદ કે બીજી ચિકિત્સા પદ્ધતિથી અનેક રોગ સો ટકા સાજા કરવાની લોભામણી જાહેરાતો મિડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર છૂટથી જોવા મળે છે. કોઈ જાહેરખબરદાતાને એ કાયદો ક્યારેય નડ્યો નથી. બાબા રામદેવ પણ વર્ષોથી એમના જાહેર કાર્યક્રમોમાં ને ટીવી શોઝમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કૅન્સર, વગેરેના રોગીઓના મોઢે જ બોલાવડાવે છે કે ‘પતંજલિ’ની સારવારથી અસ્થમા,
અમારી બીમારી જડમૂળથી ઠીક થઈ છે.
બાબા આવા પ્રચાર સુધી જ સીમિત રહ્યા હોત તો કોઈએ વાંધો લીધો ન હોત, પણ એમણે એલોપથી, ફાર્મા કંપનીઓ અને એમબીબીએસ ડૉક્ટર્સને સતત વગોવીને ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) નામની પ્રાઈવેટ તબીબી સંસ્થાને છંછેડી.
This story is from the April 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.