મું બઈનો તાજો કિસ્સો. એક ભાઈ એમના મિત્રને એનું સ્કૂટર પહોંચાડવા માટે ઘરેથી નીકળ્યા. હેલ્મેટ પણ પહેરી અને એમનું ડ્રાઈવિંગ પણ સેફ. જો કે રસ્તામાં કોઈ વાહને એમના સ્કૂટરને ટક્કર મારી. આ ભાઈ ઊછળીને રોડ ડિવાઈડર પર પડ્યા. કમનસીબે એમણે હેલ્મેટનો પટ્ટો બાંધ્યો નહોતો એટલે હેલ્મેટ ઊછળીને પહેલાં જ પડી ગઈ અને એ ભાઈનું માથું જોરથી ડિવાઈડરના પથ્થર સાથે અફળાયું.
પછી જે થયું એ તદ્દન ફિલ્મી કે ટીવીસિરિયલ જેવું લાગેઃ ત્રણેક દિવસ કોમામાં રહીને એક જટિલ સર્જરી પછી આ સજ્જન બચી તો ગયા, પણ માથાની નસ દબાઈ જવાથી એમની યાદશક્તિ પર અસર થઈ ગઈ. અત્યારે એ સ્વજનો-મિત્રોમાંથી અમુકને જ ઓળખી શકે છે. બીજા જે એમને મળવા જાય એમની સામે શૂન્યમનસ્ક બની તાક્યા કરે. જો કે ડૉક્ટરોના મતાનુસાર દવાની અસર થતાં નસ ઠીક થશે એટલે ધીમે ધીમે આ ભાઈ એમની સ્મૃતિ પાછી મેળવી લેશે.
આવા કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ. એને આંકડામાં વ્યક્ત કરીએ તો ભારત સરકારના એક રિપોર્ટ અનુસાર ૨૦૨૧માં આપણે ત્યાં કુલ ૪,૧૨,૪૩૨ લોકો કોઈ ને કોઈ રોડ અકસ્માતમાં જખમી થયા અને એમાંથી ૧,૫૩,૯૭૨ જણા મોતને ભેટ્યા, જ્યારે બીજાને નાની-મોટી ઈજા થઈ.
અકસ્માતગ્રસ્તોનો આંકડો આગલા વર્ષ (૨૦૨૦)ની સરખામણીએ ૧૨.૬ ટકા વધુ હતો. આપણે ત્યાં દર વર્ષે સરેરાશ દોઢ લાખ લોકો સડક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે, એમાંથી આશરે ત્રીસ ટકા લોકો સ્કૂટર કે બાઈકચાલક હોય છે અને એમાંથી મોટા ભાગનાએ હેલ્મેટ ન પહેરી હોવાને કારણે હેડ ઈન્જરી એમના મોતનું કારણ બને છે.
૨૦૨૧ના આંકડા જોઈએ. એ વર્ષ દરમિયાન અકસ્માત વખતે માથામાં વાગવાને કારણે ૪૬,૫૯૩ બાઈક કે સ્કૂટરસવાર મોતને ભેટ્યા, જેમાં ૧૩,૭૦૦ પિલિયન રાઈડર (અર્થાત્ પાછળની સીટ પર બેસનારા) હતા. ટૂંકમાં, હેલ્મેટ ન પહેરવાની બેદરકારી વર્ષે ૪૫-૫૦ હજાર લોકોનો ભોગ લે છે. ઈન્ટરનૅશનલ ઑટોમોબાઈલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને એક અગ્રણી મોટરબાઈક રેસ ટીમના લીડર જિન ટોટે હમણાં આ આંક ટાંકીને ભારતીયોને રીતસર ટોક્યાઃ ‘જે દેશમાં ટુ-વ્હીલર પર સવારી કરનારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે ત્યાં વર્ષે આટલા લોકો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પામે છે એ કેવું?’
This story is from the November 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.