કલા એ કલાકારની અંગત અભિવ્યક્તિ છે. કલાકારના મનોમંથનમાંથી પ્રગટ થતું નવનીત ભાવકને તૃપ્ત કરે છે, ત્યારે કલા સિદ્ધ થાય છે. એટલું જ નહીં, કલાનો પ્રભાવ ચિરંજીવી હોય છે. તેના સ્વરૂપમાં ભાવાભિવ્યક્તિ ઉપરાંત લોકકાલના પ્રવાહો પણ સચવાયેલા હોય છે. જનમાનસ પર પડેલી વ્યાપક અસરને કલાકાર જનતાના પ્રતિનિધિરૂપે વ્યક્ત કરે છે. પેઢી દર પેઢી તેનું સંવહન થાય છ. સાથે-સાથે તેમાં નવા પ્રવાહો ઉમેરાતા રહે છે. આ પ્રવાહો તેને વધુ ને વધુ ને સમૃદ્ધ કરે છે. રાજસ્થાનના શ્રીનાથદ્વારાની પ્રખ્યાત પિછવાઈ કલા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મધ્યપ્રદેશના ભીમબેટકા ખાતે મળેલા ૧૨૦૦૦ વર્ષ જૂના ભીંતચિત્રોથી શરૂ થયેલી દશ્યાત્મક કલાની આ યાત્રા આજે મૂવીઝ અને ગ્રાફિક્સ સુધી પહોંચી છે. દશ્યકલાના ઇતિહાસમાં ચિત્રકલાના સ્વરૂપનું અનોખું સ્થાન છે. સમય સાથે તેની ઉપયોગિતા, સ્થાન અને મહત્ત્વના આધારે તેના સંદર્ભો બદલાતાં રહ્યા છે. તેરમી સદીમાં રાજસ્થાની, શીખ અને કાંગડાની લઘુચિત્રોની પરંપરા પર રાજ-રજવાડાંનું વર્ચસ્વ હતું. આ ચિત્રો દ્વારા થતું દશ્યાત્મક આલેખન મોટા ભાગે સંદેશાવ્યવહાર અને દસ્તાવેજીકરણ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. તેથી તે ઐતિહાસિક મૂલ્ય પણ ધરાવે છે. સોળમી સદીમાં રાજસ્થાની અને પહાડી લઘુચિત્રો ઉપરાંત ફાડ અને પિછવાઈ જેવી ચિત્રોશૈલીઓનો જન્મ થયો. આ ચિત્રોમાં અભિવ્યક્તિની સાથે સાંસ્કૃતિક પરંપરાઓ પણ વણાયેલી છે, જે પેઢીઓ સુધી ટકી રહી છે.
મુઘલ શાસક ઔરંગઝેબથી ભગવાન કૃષ્ણની મૂર્તિને બચાવવા માટે તેને વૃંદાવનથી અન્ય સ્થળે ખસેડવામાં આવી રહી હતી. રક્ષકો સિંહાદ ગામે પહોંચ્યા ત્યારે બળદગાડાનાં પૈડાં ફસાઈ ગયાં અને તેને આગળ ખસેડી શકાયા નહીં. આ સંકેતને ભગવાનની ઇચ્છા માનીને ત્યાં જ મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી થયું. આ રીતે અરવલ્લીના ડુંગરા વચ્ચે બનાસ નદીના કિનારે, રાજસમંદ જિલ્લામાં, ઉદયપુરથી ૪૮ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં, મેવાડના મહારાણા રાજસિંહના શાસિતપ્રદેશમાં શ્રીનાથજીના મંદિરનું નિર્માણ નિશ્ચિત થયું. ઈ.સ. ૧૬૭૨માં રાજસ્થાનના શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરના નિર્માણ સાથે જ ચારસો વર્ષ પહેલાં પિછવાઈ કલાની શરૂઆત થઈ હોવાના પ્રમાણો મળે છે. આ ચિત્રો એક પરંપરાગત લોકકલાનું ધાર્મિક સ્વરૂપ છે.
This story is from the Abhiyaan Magazine 13/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 13/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?