થોડા મહિના પહેલાં આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ તથા અમુક ક્રિયાકાંડોના વિરોધી એવા પ્રખર સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો દ્વિશતાબ્દી જન્મ મહોત્સવ સૌરાષ્ટ્રના ટંકારામાં ઊજવાયો હતો.
વર્ષ ૧૮૨૪માં ટંકારામાં જન્મેલા મૂળશંકર ત્રિવેદી દીક્ષિત થઈને સાધુ મહર્ષિ દયાનંદ બન્યા. એમણે ૫૯ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ૧૮૮૩ની ૩૦ ઑક્ટોબરે અજમેરમાં દેહ છોડ્યો.
મહર્ષિના અવસાન અંગે ટંકારાસ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળના પ્રધાન આચાર્ય રામદેવજીએ ચિત્રલેખાને ચોંકાવનારી વાત કહી હતીઃ ‘જોધપુરના રાજા જશવંતસિંહજી નન્હી બેગમ (નન્હીજાન) નામની તવાયફના પ્રેમમાં ગળાડૂબ હતા. એક વાર ધર્મોપદેશ માટે નીકળેલા મહર્ષિ દયાનંદે રાજાને દુરાચારમુક્ત થઈને રાજશાસન ચલાવવાની સલાહ આપી. એનાથી નારાજ થઈને રાજા અને નન્હી બેગમે દયાનંદજીને મારી નાખવા ષડયંત્ર રચ્યું અને દયાનંદજીને એમના રસોઈયા જગન્નાથ મારફતે ઝેરમિશ્રિત દૂધ પિવડાવ્યું. ઝેરથી અસ્વસ્થ થયેલા દયાનંદજીએ આબુમાં રાજવૈદ્યની સારવાર લીધી. બાદમાં અજમેર ગયા, જ્યાં એમનું અવસાન થયું.’
આ ઘટનાથી મહર્ષિ દયાનંદના મૃત્યુ માટે એક તવાયફ પણ જવાબદાર કહેવાય.
તવાયફ આ શબ્દ સાંભળતાંવેંત નજર સામે સમી સાંજે આછા અજવાળામાં મેકઅપ અને આભૂષણોથી સજ્જ, પારદર્શક ઓઢણી ઓઢી, પગમાં ઘૂંઘરું બાંધીને માદક અદા વેરતી નર્તકી નજરે પડે. એ ગઝલ કે ઠૂમરી ગાતી હોય.
ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા... (પાકીઝા) અથવા દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીયે કે પછી ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ (ઉમરાવ જાન) જેવાં ફિલ્મી ગીતોએ તવાયફોને બહુ પ્રસિદ્ધિ આપી.
તવાયફ માટે મૂળ ઉર્દૂ શબ્દ તયફીનો અર્થ છે હરતુંફરતું જૂથ. ભગવદ્ગોમંડલ મુજબ તવાયફ એટલે રામજણી. કોઠા (નાચ-ગાન ભજવણી અને એ નર્તકીનું રહેઠાણ સ્થાન)માં તવાયફ મહદંશે સાંજે વાદકો સંગે ઠૂમરી, ગીત, ગઝલ, વગેરે ગાતી એથી લોકો એને કોઠાવાળી, નાચ-ગાનવાળી કે બાઈ તરીકે ઓળખતા. તવાયફોનો ઈતિહાસ જૂનો છે. સાથે રોચક અને કરુણાજનક પણ ખરો. જો કે હવે તવાયફની ઝલક વધુ તો તસવીર, ચિત્ર, પુસ્તક, ફિલ્મ, નાટકમાં જોવા મળે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એક્ઝિટ પોલનું પોલંપોલ...
ચૂંટણીનાં પરિણામની પહેલાં ટીઆરપી મેળવવાનું હાથવગું સાધન બની જનારા એક્ઝિટ પોલ અર્થાત્ ઈલેક્શન રિઝલ્ટની અટકળો આ વખતે સાવ જ ફારસ બની રહી. એક્ઝિટ પોલનું શાસ્ત્ર ક્યારેક અતિ સચોટ તો ક્યારેક સાવ નિષ્ફળ કેમ રહે છે?
બાળકોને શક્તિ-સ્ફૂર્તિ બક્ષવાના આ છે વિકલ્પ...
ઊછળવા-કૂદવા-રમવાની ઉંમરે જરૂર આપો પ્રોટીનસભર ખોરાક.
કોણ છે કરાચીની આ વડા-પાંઉ ગર્લ?
સોશિયલ મિડિયામાં અત્યારે એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં પાકિસ્તાનની ગલીમાં સ્વાદપ્રેમી લોકો હિંદુસ્તાની ફડની લિજ્જત માણતાં દેખાય છે. ચાલો માણીએ, કરાચીવાસીઓની જીભે ઈન્ડિયન સ્ટ્રીટ ફડનો સ્વાદ વળગાડનારી મૂળ મોરબીની યુવતી સાથે એની સ્વાદસફર.
વહેલ શાર્ક માટે સૌરાષ્ટ્રનો દરિયો બન્યો છે પિયર
ખારાં પાણીમાં મીઠી વીરડી આઠ જૂન એટલે ‘વર્લ્ડ ઑશન ડે.’ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે જુદા જુદા સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે, એમાં ગુજરાત પણ એક ટોચનું રાજ્ય બન્યું છે. લુપ્ત થઈ રહેલી વહેલ શાર્ક માછલીને બચાવવા સૌરાષ્ટ્રના કિનારે ઊડીને આંખે વળગે એવું કાર્ય લોકભાગીદારીથી થઈ રહ્યું છે. મોરારિબાપુની સંવેદનાસભર અપીલ સાથે બે દાયકા પૂર્વે શરૂ થયેલી ઝુંબેશનાં હૈયું હરખાય એવાં પરિણામ સામે આવ્યાં છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૯૫૦થી વધુ વહેલ શાર્કને દરિયામાં મુક્ત કરવામાં આવી છે. દરિયાઈ જીવ બચાવવાનું આવું ઉમદા કાર્ય દુનિયાના કોઈ ખૂણે થયું નથી.
આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...
અઢારમી લોકસભા ચૂંટણી યાદ રહેશે જે રીતે એ લડાઈ, જે રીતે એક્ઝિટ પોલમાં ઓમ ધબાય નમઃ થયું ને જે રીતે ચાર જૂને ટીવીવાળા ભોંઠા પડ્યા એ માટે... કહો કે ઈલેક્શન કરતાં એના તોરતરીકા મજેદાર હતા.
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.