મખમલી અવાજના અમર ગાયકઃ મુકેશ
ABHIYAAN|September 02, 2023
મુકેશે પહેલાં તો ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચાર્યું સુદ્ધાં નહોતું, પરંતુ રાજ કપૂરને મુકેશના અવાજમાં અસાધારણ પ્રતિભા દેખાઈ અને મુકેશ એમનાં ગીતોનો અવાજ બની ગયા હતા. રાજ કપૂર કહેતા કે, મુકેશનો અવાજ મારો આત્મા છે
નંદિની ત્રિવેદી
મખમલી અવાજના અમર ગાયકઃ મુકેશ

ઇક દિન બિક જાયેગા માટી કે મોલ

જગ મેં રહ જાયેગે પ્યારે તેરે બોલ

ફિલ્મી ગીતોના ચાહક હશો તો તમે એ વાતની નોંધ લીધી જ હશે કે ગાયક મુકેશનાં મોટા ભાગનાં ગીતો ખૂબ લોકપ્રિય થયાં છે. લગભગ બાર ભાષામાં ગાયેલાં એમનાં ગીતોમાં ગુજરાતી ભાષામાંય એમણે એક એકથી ચઢિયાતાં ગીતો ગાઈને ગુજરાતી પ્રજાને એમની ચાહક બનાવી દીધી હતી. ‘હે તને જાતાં જોઈ પનઘટની વાટે’, ‘ઓ નીલ ગગનના પંખેરું’, ‘પંખીડાંને આ પીંજરું’, નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે.. જેવાં ગીતો એક સમયે ગુજરાતીઓનાં ઘર-ઘરમાં ગૂંજતાં હતાં!

ભારતના સર્વોચ્ચ ગાયકોમાં જેમનું સ્થાન અગ્રક્રમે આવે એ મુકેશનું આ જન્મશતાબ્દી વર્ષ છે. ૨૨ જુલાઈ, ૧૯૨૩ મુકેશચંદ માથુરનો જન્મ દિવસ તથા ૨૭ ઑગસ્ટે પુણ્યતિથિ. એટલે આ અમર ગાયકની કેટલીક રસપ્રદ વાતો યાદ કરીએ.

મુકેશનાં ગીતોની લોકપ્રિયતાનાં કારણો હતાં એમના ભાગે આવેલાં ઉત્તમ સ્વરાંકનો, ગળાની મીઠાશ અને ત્રીજું મહત્ત્વનું કારણ તેમના અવાજમાંથી કુદરતી રીતે પ્રગટ થતું દર્દ. શ્રોતાઓના મર્મને સ્પર્શવાનું સામર્થ્ય એમની પાસે હતું. દુઃખના ઊભરા ઠાલવવાની ભાવુકતા હતી, તેમ જ ભગ્ન હૃદયની વ્યથા વ્યક્ત કરવાની તાકાત હતી. તેમના દર્દીલા અવાજે કંઈ કેટલાંયને ગીત સાંભળતી વખતે રડાવ્યા હશે! એમનો સ્વર ભલે અનુનાસિક કહેવાતો, કેટલાકને એમના અવાજની મર્યાદાઓ દેખાતી હતી, છતાં મુકેશે યાદગાર ફિલ્મી ગીતો ઉપરાંત જિયેંગે મગર મુસ્કુરા ના સકેંગે’, ‘તેરે લબોં કે મુકાબિલ ગુલાબ ક્યા હોગા' જેવાં ઉત્તમ ગૈરફિલ્મી ગીતો તથા ‘ચાલતો રહેજે’, ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’, ‘પંખીડાંને આ પીંજરું’, ‘આજ ખરું અવતરવાનું ટાણું’, ‘ઓ નીલ ગગનના પંખેરું’ જેવાં ચિંતનાત્મક ગુજરાતી ગીતો તેમ જ નજરના જામ...જેવાં રોમૅન્ટિક ગીતો ગાઈને શ્રોતાઓને રીઝવ્યા છે.

‘ગાયે ચલા જા’ પુસ્તકમાં લેખક શિરીષ કણેકરે એક સરસ કિસ્સો વર્ણવ્યો છેઃ

Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 dak  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024