જો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વિવાદમાં છેલ્લી ઘડીએ કાંઈ નવાજૂની ન થાય તો ૨૦૨૪ની લોકસભાની આ ચૂંટણી ગુજરાતમાં ક્ષત્રિયોના વટ અને શાસકોની હઠ માટે જાણીતી બનશે. મંગળવાર, ૧૬ એપ્રિલની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આંદોલને ચડેલા ક્ષત્રિયો અને ભાજપ વચ્ચે કોઈ સમાધાન થયું નથી અને રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફૉર્મ ભર્યા પછી પુરુષોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર હશે એ સાફ થઈ ચૂક્યું છે.
૧૪ એપ્રિલે રાજકોટમાં વિશાળ સંમેલન દ્વારા ક્ષત્રિયોએ શક્તિપ્રદર્શન કર્યું એ પછી ભાજપ પારોઠનાં પગલાં ભરશે કે કેમ એ મુદ્દે ખાસ્સી ચર્ચા ચાલી, પણ ન તો ભાજપ ટસનો મસ થયો કે ન ક્ષત્રિયો ઝૂકવા તૈયાર થયા. ક્ષત્રિયોના આ શક્તિપ્રદર્શન સામે ફૉર્મ ભરતી વખતે પુરુષોત્તમ રૂપાલાએ પણ પદયાત્રા અને જાહેરસભા થકી સામે શક્તિપ્રદર્શન કર્યું છે. સામસામાં શક્તિપ્રદર્શનો પછી દેખીતી રીતે જ સમાધાનનો રસ્તો સાંકડો થઈ ચૂક્યો છે.
તૃપ્તિમાં રોલ મિતનાં અવાર ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિનાં અગ્રણી તૃપ્તિબા રાઓલ ચિત્રલેખા સાથેની વાતચીતમાં આંદોલન ચાલુ જ હોવાનો વિશ્વાસ દર્શાવતાં કહે છેઃ ‘અમે ૧૯મીએ ફૉર્મ પાછું ખેંચવાની મુદત પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈશું, નહીં તો એ પછી આગળની રણનીતિ અમલમાં મૂકીશું.’ પરંતુ રૂપાલા જેવા મોટા ગજાના ઉમેદવાર પાસે ફૉર્મ ભરાવીને પાછું ખેંચાવાય તો રૂપાલા અને ભાજપ બન્નેની આબરૂ જાય એ જોતાં એવી શક્યતા નહીંવત્ છે. વળી, રાજકોટના સંમેલન પછી જ આંદોલન સંકલન સમિતિના અગ્રણીઓના વલણને લઈને પદ્મિનીબા વાળાની કથિત ઑડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે, જેમાં આંદોલનકારીઓ અને સમિતિના અગ્રણીઓ વચ્ચેના મતભેદો બહાર આવ્યા છે. જો આ વાત સાચી હોય તો ભાજપ આંદોલનકારીઓમાં તડાં પડાવીને સંભવિત નુકસાન ખાળવાની રણનીતિ અપનાવી શકે છે.
રાજકોટમાં ક્ષત્રિયોએ મસમોટું સંમેલન યોજી એમની તાકાત દેખાડી એના બે જ દિવસમાં પુરુષોત્તમ રૂપાલા વાજતેગાજતે ઉમેદવારીપત્ર ભરવા નીકળ્યા.
This story is from the April 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 29, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.