સમરથ કો નહીં દોષ ગોસાઈ?
એક રાજાને એના રાજા હોવાનું એટલું ગુમાન હતું કે એણે પોતાની જ પુત્રી સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું. મહેલમાં હાહાકાર મચી ગયો. આ તો દોષ કહેવાય, પણ રાજાને કહે કોણ? રાજાની પુત્રીએ કુલગુરુની મદદ માગી. કુલગુરુએ રાજાને સમજાવ્યો કે આ પાપ કહેવાય. રાજાએ કહ્યું કે હું સામર્થ્યવાન છું અને લોકોને મારા કામમાં વિશ્વાસ છે. કુલગુરુએ કહ્યું કે તમે રાજા થઈ ગયા એટલે સામર્થ્યવાન નથી થઈ જતા. ચાલો, હું તમારી પરીક્ષા લઉં, એમાં પાર ઊતરી બતાવો!
ગુરુએ રાજાને બાજુમાં બેસાડ્યો અને કહ્યું હતું, હું જે ભોજન મગાવું છું એ મારી સાથે જમજો. બન્ને માટે થાળી આવી. એમાં ભાવતાં પકવાન સાથે મનુષ્યની વિષ્ટા હતી. રાજાએ ખાવાનો ઈનકાર કરી દીધોઃ ‘આવું થોડું ખવાય? આપણે મનુષ્ય છીએ.’
ગુરુએ કહ્યું: ‘જોયું, તમે કેટલા સમર્થ છો? હવે મારું સામર્થ્ય જુવો!' ગુરુએ એમની દૈવીશક્તિનો ઉપયોગ કરીને ભૂંડનો વેશ ધારણ કરી લીધો અને વિષ્ટા સહિત ભોજન કરી લીધું. રાજાને પોતાની ભૂલ સમજાઈ. એણે પોતાને સામર્થ્યવાન બતાવવા બદલ માફી માગી.
એ રીતે રાજા એના દોષમાંથી બચી ગયો અને પુત્રીના વિવાહ યોગ્ય વર સાથે કરાવ્યા.
તમને અરુણ શૌરી યાદ છે? એક વખતના તેજતર્રાર એડિટર અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શૌરી છેલ્લાં ચાર વર્ષથી સમાચારમાંથી ગાયબ છે. છેલ્લે, ૨૦૧૯માં એ પુણેસ્થિત એમના ઘરના બાથરૂમમાં લપસી પડ્યા હતા અને એમને માથામાં વાગ્યું હતું ત્યારે વડા પ્રધાન મોદી એમના ખબરઅંતર પૂછવા ગયા હતા.
જન્મથી જ સેરેબ્રલ પાલ્સીથી પીડાતા એમના એકમાત્ર પુત્ર આદિત્ય અને પાર્કિન્સન્સના રોગથી પીડાતી એમની પત્ની અનિતાની સારવાર માટે શૌરી સક્રિય રાજનીતિમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. એડિટર અને પછી રાજનેતા તરીકે દેશ-સમાજને બહેતર બનાવવામાં યોગદાન આપનારા શૌરી અત્યારે ૮૨ વર્ષની વયે લખવા-વાંચવાનું કામ કરે અને પત્ની-પુત્રની સેવા કરે છે.
એમણે જીવનની પીડાને નજીકથી અનુભવી છે એટલે જીવનને એ ચિંતનાત્મક દૃષ્ટિકોણથી જોતા થયા છે. અગાઉ દેશની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને નોંધપાત્ર પુસ્તકો લખનારા શૌરીએ ૨૦૨૦માં પોતાના જ જીવનના અનિવાર્ય અંતને ધ્યાનમાં રાખીને Preparing for Death (મૃત્યુની તૈયારી) નામનું એક પુસ્તક લખ્યું હતું.
This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.