ભારતનાં બે પ્રાચીન મહાકાવ્યો જગતભરમાં જાણીતાં છે. એમાંનું એક છે રામાયણ અને બીજું છે મહાભારત. આ બન્ને ગાથા બે મહાવંશની કથા છે. રામાયણ સૂર્યવંશની કથા કહે છે, જેના નાયક છે સૂર્યવંશી ભગવાન શ્રીરામ અને મહાભારત ચંદ્રવંશની કથા છે, એના નાયકો કૃષ્ણ, અર્જુન તથા યુધિષ્ઠિર છે, જે ત્રણેય ચંદ્રવંશી છે.
આ બન્ને વંશ બ્રહ્માજીની છઠ્ઠી પેઢીએ શરૂ થયા. એ અગાઉની પાંચ પેઢી આ પ્રમાણે હતીઃ બ્રહ્મા, મરીચિ, કશ્યપ, સૂર્ય અને પાંચમી પેઢીએ વૈવસ્વત મનુ, જેમનાથી માનવવંશ શરૂ થયો. વૈવસ્વત મનુના આમ તો સાઠ દીકરા હતા, પરંતુ એમાંના પચાસ આપસમાં લડી મર્યા. આનો એક અર્થ એવો નીકળે કે માનવવંશમાં અંદરોઅંદર લડી મરવાની પરંપરા પહેલેથી છે. ઠીક છે, પચાસ પુત્રો મૃત્યુ પામ્યા. બચ્યા દસ. એમાં એક હતો ઈશ્વાકુ, જેનાથી સૂર્યવંશ શરૂ થયો અને બીજો હતો સુદ્યુમ્ન, જેનાથી ચંદ્રવંશ શરૂ થયો, આ રીતે..
આ સુદ્યુમ્ન એક વાર જંગલમાં ગયેલો. કાળનું કરવું કે એ જ વખતે જંગલમાં શિવ-પાર્વતી આવ્યાં. પાર્વતીને સંપૂર્ણ એકાંતની ઈચ્છા થઈ. એમણે શિવજીને કહ્યું કે મારે આસપાસમાં કોઈ નર ન જોઈએ. શિવજીએ તથાસ્તુ કહીને સમગ્ર જંગલમાં જેટલા પણ નર હતા એમને માદા બનાવી દીધા. જે સિંહ હતા એ સિંહણ બની ગયા, વાઘ હતા એ વાઘણમાં રૂપાંતરિત થઈ ગયા. આ બધામાં સાથોસાથ સુદ્યુમ્ન પણ નારી બની ગયો.
સુદ્યુમ્ન અતિ વ્યથિત થયો. એણે માતા પાર્વતી પાસે પોતાની વેદના વ્યક્ત કરી. પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે કહ્યું: ‘શિવજીના પ્રભાવને તો હું મિથ્યા ન કરી શકું, પરંતુ એમાં એટલો ફેરફાર કરી શકું કે તું ચંદ્રના વૃદ્ધિકાળમાં પુરુષ બની રહીશ અને ક્ષયકાળમાં સ્ત્રી ઈલા બની રહીશ.'
સુઘુમ્નના આ નારીરૂપનાં એટલે કે ઈલાનાં લગ્ન ચંદ્રના પુત્ર બુધ સાથે થયાં. બુધ દેવલોકનો વાસી હતો, જ્યારે પત્ની ઈલા પૃથ્વીવાસી હતી. બુધ-ઈલાનો દીકરો પુરૂરવા પૃથ્વીવાસી જ બની રહ્યો. પુરૂરવા પૃથ્વીનો પ્રથમ ચંદ્રવંશી સમ્રાટ બન્યો. એ જબરો પરાક્રમી હતો. એ અપ્સરા ઉર્વશીના ઊંડા પ્રેમમાં પડ્યો. ઉર્વશી થોડા સમય સુધી પરૂરવા સાથે ધરતી પર રહી અને પછી પોતાના દેવલોકમાં પાછી ફરી, પરંતુ એ પહેલાં પુરૂરવા સાથેના સંબંધથી એણે છ પુત્રોને જન્મ આપ્યો. એમાંનો એક હતો આયુ.
This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,
મફત, દૂરંદેશી અને મતદાન
સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.