સર્પદંશથી મૃત્યુ પામેલી પ્રમદ્રરાને ફરી જીવતી કરવા માટે એનો પ્રેમી રુરુ પોતાનું અડધું જીવન આપી દેવા તૈયાર થયો. એ જોઈને દેવદૂત પહોંચ્યો યમ પાસે અને એણે યમ સમક્ષ એવી રજૂઆત કરી કે રુરુનું અડધું જીવન પ્રમદ્રરાને આપી દેવા જેવું છે. યમરાજે જવાબમાં શાંતિથી આટલું જ કહ્યું: ‘હે દેવદૂત, તમે જો ઈચ્છતા હો તો ભલે ગુરુનું અડધું જીવન પ્રમદ્રરાને મળતું.’
એક તરફ યમરાજ આટલું બોલ્યા અને બીજી તરફ પ્રમદ્રરા એવી રીતે બેઠી થઈ જાણે શાંત-સ્વસ્થ ઊંઘમાંથી ઊઠી હોય. ગુરુને એની પ્રમદ્રરા પાછી મળી. બન્ને પરણી ગયાં. પરણીને ખૂબ સુખી થયાં. એમનું જીવન બધી રીતે યોગ્ય હતું. એમાં કેવળ એક સમસ્યા હતી. પ્રમદ્રરાને સાપ કરડેલો એ વાત ગુરુ પચાવી શક્યો નહોતો એટલે કોઈ પણ સાપને જોઈને એ અત્યંત ક્રોધિત થઈ જતો અને એનો નાશ કર્યા વિના એને ચેન પડતું નહીં.
એક વાર એવું બન્યું કે રુરુ ગાઢ જંગલમાં ગયો. ત્યાં એણે એક બે મોઢાળા સાપને સૂતેલો જોયો. એ વૃદ્ધ હતો. અસલમાં એ ડુંડુભ (ઇંડવું, બિનઝેરી સાપ) હતો. યમના દંડ જેવી લાઠી રુરુના હાથમાં હતી. એણે ડૂંડુભને મારી નાખવા લાઠી ઉગામી એ જોઈને ડુંભ બોલ્યો: ‘હે તપોધન, મેં તમારું કશું અનિષ્ટ કર્યું નથી તો પછી તમે મને શા માટે મારો છો?’
રુરુએ કહ્યું: ‘મારી પ્રાણપ્યારી પત્નીને એક વાર સાપ કરડી ગયેલો, ત્યારથી હું સાપને જોતાંની સાથે જ એનો નાશ કરવાના નિયમનું પાલન કરું છું એટલે હું આજે તને પણ મારીશ. તું આજે તારી જિંદગીથી મુક્ત થઈ જઈશ.’
ડુંડુભે પોતાનો બચાવ કર્યોઃ ‘જે સાપ માનવીને કરડે એ જુદા હોય છે. અમે કુંડુભો ઝેરી નથી હોતા. અમારો સ્વભાવ ઝેરી સાપથી જુદો હોય છે. ઝેરી સાપને જે તકલીફ પડે છે એ તો બધી અમને પણ પડે છે, પરંતુ ઝેરી સાપને જે લાભ મળે છે એ અમને નથી મળતા. તમે તો ધર્મશાસ્ત્રના જ્ઞાતા છો. તમને તો એ જાણ હોવી જોઈએ કે બિનઝેરી બે મોઢાળા ડુંડુભની હત્યા યોગ્ય નથી.’
રુરુ શાસ્ત્રજ્ઞાન પણ ધરાવતો હતો અને સમજુ પણ હતો. એને શાસ્ત્રવચન તો યાદ આવ્યું જ, સાથોસાથ એને એ પણ સમજાયું કે શાસ્ત્ર વિશે જાણકારી ધરાવતો આ ડુંડુભ વાસ્તવમાં કોઈ શ્રાપિત ઋષિ હોઈ શકે. રુરુનો સૂર અચાનક કોમળ થઈ ગયો. એણે ડુંડુભને કહ્યું: ‘હે ભગવન્ ભુજંગ, તમે મને એ કહો કે આવી દશામાં આવી પડેલા આપ વાસ્તવમાં છો કોણ?’
This story is from the May 22, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 22, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.