ઈરાકના સદામ હુસૈન, દિલ્હીના વેપારી વરુણ અરોરા અને મુંબઈનાં ગૃહિણી કાજલ તથા એમના પ્રેમી હિતેશ વચ્ચે શું સમાનતા હોઈ શકે? કોઈ હિંદી પિક્ચરની સ્ટોરીને આંટી દે એવી આ સત્ય ઘટનાનો આરંભ થાય છે મુંબઈના સુખી-સંપન્ન પરિવારના ઘરમાં. નાયિકા (કે ખલનાયિકા) કાજલ શાહ ફિલ્મ જેવાં કલરફુલ, પણ ઘાતક સપનાં જુએ છેઃ
પતિ અને સાસુ હંમેશ માટે આ જગતમાંથી જતાં રહે એટલે કુટુંબની સઘળી મિલકત એની (કાજલની). પછી એયને પ્રેમી હિતેશ સાથે જીવનભર.. હા, આ કરુણ કથાનાં ચાર મુખ્ય પાત્રોઃ કાજલ (૪૬), એના પતિ, ગાર્મેન્ટના વેપારી કમલકાંત (૪૬), કાજલનો કહેવાતો પ્રેમી હિતેશ (૪૫) અને કમલકાંતનાં મમ્મી સરલા દેવી (૬૫). પાંચ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ હચમચાવી દેતી આ ઘટનાના સમાચાર મુંબઈનાં અખબારોમાં ચમકે છેઃ મુંબઈની ગૃહિણી કાજલ શાહે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી..
કહે છે કે મન, મોતી ને કાચ એક વાર તૂટે પછી સંધાતાં નથી. જેને સાંધવાની કે રેણ કરવાની જોગવાઈ નથી એવા અમુક સંબંધ ભાંગે પછી લગી હૈ ચોટ કલેજે પે ઉમ્રભર કે લિયે ગાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. શાહપતી સાથે પણ કંઈ આવું જ થયેલું. બેએક વર્ષ પહેલાં પતિ-પત્ની વચ્ચે અમુક બાબતસર ખટરાગ થયેલો ને પત્ની કાજલ પિયર સુરત જતી રહેલી. આ વર્ષે મન સંધાયાં (કે કમલકાંતને મન સંધાયાનો આભાસ થયો હશે) એટલે એ મુંબઈ પરત ફરી. પોલીસના જણાવ્યા મુજબ, આ જ વર્ષના જૂનમાં એણે હિતેશ સાથે મળીને એક પ્લાન બનાવ્યો. પતિના ખાવા-પીવામાં દરરોજ ધીમું ઝેર ભેળવી એને ખતમ કરવો.
આ પ્લાન બનાવવા કાજલ-હિતેશ ઈન્ટરનેટ પર ખોજ કરી રહ્યાં હતાં ત્યારે એમને દિલ્હીના બિઝનેસમૅન વરુણે જે રીતે એનાં સાસુ-સાળીની હત્યા કરી એનો લેખ વાંચવામાં આવ્યો. સાસુ-સાળીની હત્યા કરનારા વરુણે પોતાની કબૂલાતમાં કહેલું કે એનો પ્રેરણાસ્રોત હતો સદામ હુસૈન. ઈરાકનો હુકમશાહ સદામ હુસૈન પોતાના વિરોધી, દુશ્મનને આર્સેનિકથેલિયમ નામનું સ્લો પોઈઝન તરીકે ઓળખાતું રસાયણ પિવડાવીને મારી નાખતો.
This story is from the January 02, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 02, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.