ભારત પ્રજાતંત્ર તરીકે એક દેશ ખરો, પણ એ અનેક રાજ્યો અને પ્રાંતોનો સમૂહ આ રાજ્યો પણ અગાઉ તો અલગ અલગ ટુકડા કે જનપદ હતાં. સમાન ભાષા કે સંસ્કૃતિને કારણે કાળક્રમે એવા વિસ્તારો એકમેક સાથે ભેગા થતા ગયા. અમુક વિસ્તારોને એમની આગવી ઓળખ ભૂલીનેય બીજા કોઈ પ્રાંત સાથે ભળવું પડ્યું. ૧૯૫૬થી ૧૯૬૦ના ગાળામાં ભાષાવાર પ્રાંતોની રચના થઈ ત્યારે અને એ પછીનાં વર્ષોમાં પણ વિવિધ રાજ્યોનાં વિભાજન અથવા તો પુનર્ગઠન વખતે કેટલાક વિવાદ પણ ઊભા થયા હતા.
વર્ષ ૧૯૬૦માં એ સમયના મુંબઈ રાજ્યના મહારાષ્ટ્ર અને ગુજરાત એવા બે ટુકડા થયા ત્યારે એક શહેર તરીકે મુંબઈ કયા રાજ્યને ફાળે જાય એ મુદ્દે માથાફાડ ઝઘડો થયો હતો. આજે આટલાં વર્ષેય કેટલાક રાજકારણીઓ મુંબઈને મહારાષ્ટ્રથી નોખા કરવાનું કાવતરું એવી મનઘંડત વાત ફેલાવી વાતાવરણમાં ઝેર ફેલાવે છે.
એક જ દિવસે પોતાનો સ્થાપનાદિન આ બે પડોશી રાજ્ય વચ્ચે વર્ષો સુધી તો સરખામણીનો કોઈ અવકાશ નહોતો. ૧૯૬૦ના વિભાજન વખતે મુંબઈ મહારાષ્ટ્રને ફાળે આવવાને કારણે ગુજરાત કરતાં મહારાષ્ટ્ર પહેલેથી બે નહીં, બાર ડગલાં આગળ હતું. ઔદ્યોગિક વિકાસ અને સહકારી ધોરણે વિકસેલી ખેતી એ બે કારણ પણ મહારાષ્ટ્રને આગળ રાખતાં હતાં. એ વખતે ગુજરાત પાણીની કારમી અછતથી પીડાતું હતું અને કોમી રમખાણોના ઈતિહાસથી કોઈ મોટો ઉદ્યોગ ગુજરાત તરફ જવા તૈયાર નહોતો.
This story is from the November 14, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 14, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.