લોકસભા ચૂંટણીને હજી દોઢ વર્ષની વાર છે. આમ તો દર છ-આઠ ને થાય એટલે નવા સભ્યો ચૂંટવા મતદાન થતું જ હોય છે. જો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ મુદ્દે લડાય છે એટલે એ બન્નેની સરખામણી અસ્થાને છે.
કોઈ પણ ચૂંટણીની તૈયારી માટે દોઢ વર્ષ આમ તો પૂરતો સમય કહેવાય, પણ રસ્તો અને મંજિલ બન્ને શોધવાનાં હોય ત્યારે કોઈ તૈયારી પૂરતી ન કહેવાય. દેશના ભાજપવિરોધી રાજકીય પક્ષોની આ હાલત છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, નીતિશ કુમાર તથા તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ, એ બધાંને વડા પ્રધાનની ખુરસી દેખાય છે. બધાંને નરેન્દ્ર મોદીની જગ્યાએ ગોઠવાઈ જવું છે અને એટલે જ હવે પછીના અઢાર મહિના એમના વચ્ચે સંગીતખુરસીની રમત ચાલવાની છે.
૨૦૧૦ના દાયકામાં મોદી પોતે ગુજરાતથી રાષ્ટ્રીય સ્તરે આવ્યા હતા એટલે દિલ્હી, બંગાળ, બિહાર કે તેલંગણના મુખ્ય પ્રધાન પણ રાષ્ટ્રીય રાજકારણમાં આવવાનું વિચારે એમાં કશું ખોટું નથી. સમસ્યા એ છે કે આ ચારેય એકસરખી વ્યૂહનીતિ અપનાવીને કેન્દ્રમાં પહોંચવા માગે છે. આ ચારેય આગેવાનો મોદીને તો અંગત ધોરણે પોતાના રાજકીય દુશ્મન માને જ છે, એ ચારેય પોતે અંદરોઅંદર પણ એકમેક સામે શતરંજની જેમ ચાલ ચાલી રહ્યાં છે એટલે એમની પહેલી લડત તો એકમેક સામે જ છે અને આગામી દિવસોમાં એમની અડધી શક્તિ એકબીજા સામે પોતાની સર્વોપરિતા પુરવાર કરવામાં ખર્ચાઈ જવાની છે. મોદી સામેનો મુકાબલો તો એ પછી આવશે.
This story is from the October 31 - November 07, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 31 - November 07, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.