આકાશવાણીનું આ મુંબઈ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા છો સુગમ સંગીત. હવે રજૂ કરીએ છીએ ‘તારી આંખનો અફીણી’...
એક કાળે હજારો શ્રોતાઓ આકાશવાણી- મુંબઈ પર ગુજરાતી સુગમ સંગીતની અમર રચનાઓ, મૂર્ધન્ય સાહિત્યકારોના સ્વરમાં એમની પોતાની આત્મકથા, જૂની-નવી રંગભૂમિનાં નાટકોનાં રેડિયો રૂપાંતર, નવલકથાઓની રેડિયો નાટિકા ઉપરાંત ઘણું બધું સાંભળવા તત્પર રહેતા, પણ કોરોનાના નામે બધું બંધ કરી દેવામાં આવ્યું.
ચિત્રલેખાએ આ વિશે તપાસ કરી તો ચોંકાવનારી માહિતી એ મળી કે આકાશવાણીના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લઈને માત્ર ગુજરાતી જ નહીં, મુંબઈમાં અગાઉથી જેનાં પ્રસારણ ચાલુ હતાં એ કન્નડ, સિંધી, ઉર્દૂ જેવી ભાષાઓના કાર્યક્રમો પણ બંધ કરી દીધા છે.
જાણકારોએ ચિત્રલેખાને કહ્યું કે હજારો કલાકનાં અલભ્ય રેકૉર્ડિંગનું હવે શું થશે એ કોઈને ખબર નથી. અગાઉ દૂરદર્શન-મુંબઈ પર ગુજરાતી કાર્યક્રમોનાં રેકૉર્ડિંગ-પ્રસારણ બંધ કર્યા પછી આવો મારે સાથે જેવા અદ્ભુત કાર્યક્રમની ટેપો નિર્દયી અધિકારીઓએ સળગાવી મારી હતી, એમાં શ્રેષ્ઠ પારસી નાટકો આપણે હંમેશ માટે ગુમાવી બેઠા એવી જ હાલત આકાશવાણીની ટેપ સાથે થઈ શકે.
મુંબઈ સહિત અનેક શહેરોમાં આકાશવાણીના ગુજરાતી વિભાગમાં વિવિધ હોદ્દે ફરજ બજાવીને ૨૦૧૦માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થનારા કિરીટ બારોટ ચિત્રલેખાને કહે છે:
‘આકાશવાણી-મુંબઈ પરથી એક સમયે માત્ર ગુજરાતીમાં પ્રસારણ થતું. પછી મહારાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે બૉમ્બે બી નામની ચૅનલ શરૂ કરીને એમાં મરાઠી કાર્યક્રમ શરૂ થયા. અગાઉની બૉમ્બે એ ચૅનલ પર અન્ય પ્રાદેશિક ભાષા આવી, પણ પ્રાધાન્ય તો ગુજરાતીને જ હતું. આ ચૅનલનું નામ બદલાઈને પછી સંવાદિતા ચૅનલ થયું.’
કિરીટભાઈ ઉમેરે છે કે ૧૯૮૪માં હું ભૂજથી ટ્રાન્સફર થઈને મુંબઈ આવ્યો ત્યારે ગુજરાતી વિભાગમાં જ વીસ માણસનો સ્ટાફ હતો. બરકત વીરાણી બેફામ, મીનળ દીક્ષિત, ભારતીબહેન વ્યાસ, વિનાયક વ્યાસ, ભગવાનદાસ મિસ્ત્રી, કૈલાશબહેન સાંગાણી જેવાં દિગ્ગજો એ વખતે સ્ટાફ પર હતાં.
ધીરૂભાઈ દાણી સંચાલિત બાળકો માટેનો કિલ્લોલ કાર્યક્રમ કે યુવાનો માટે યુવવાણી અથવા તો બપોરે ૧૨ વાગ્યે બ્રોડકાસ્ટ થતો મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ છેક કચ્છ સુધી લોકો સાંભળતા. સવારે ભક્તિગીતો, પછી ગુજરાતી ફિલ્મી ગીતો અને સુગમ સંગીત પણ લોકપ્રિય હતાં.
This story is from the October 24, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 24, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.