દેશવિરોધી કારનામામાં સંડોવણીની શંકા પરથી ‘પીએફઆઈ’ના આોવાનોની ધરપકડ થઈ એના વિરોધમાં ઠેર ઠેર થયા દેખાવ.
મને કોઈના પ્રત્યે અંગત આક્રોશ કે ગુસ્સો હવે નથી રહ્યો, પણ ‘પીએફઆઈ’ (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા) જેવાં દેશવિરોધી સંગઠનોને ભારતમાંથી જડમૂળથી ઉખેડી દેવાં જોઈએ એટલી મારી માગણી છે.
આ શબ્દો છે કેરળના એક કૉલેજ પ્રોફેસર ટી. જોસેફના. વર્ષ ૨૦૧૧માં પીએફઆઈના કાર્યકરોએ એમનો એક હાથ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ કટ્ટરપંથીઓની ધમકીઓથી ડરીને એમનાં પત્નીએ આત્મહત્યા કરવી પડી. નોકરી છૂટી જતાં પ્રોફેસરે મિત્રોના આર્થિક ટેકા પર નભવું પડ્યું. એ પ્રોફેસરની ભૂલ એટલી હતી કે એમણે પ્રશ્નપત્રમાં વ્યાકરણની સમજ માટેના ફકરામાં અસ્થિર મગજના એક પાત્રનું નામ મોહમ્મદ રાખ્યું હતું!
એ વખતે અખબારો માટે પીએફઆઈનું નામ નવું હતું, પણ એમાં કામ કરતા માણસો અને વિચારધારા એ જ જૂનાં ને જાણીતાં હતાં: ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવો અને શરિયા કાનૂન લાવો!
હવે દાયકા પછી અખબારો અને સમાચારોમાં પીએફઆઈનું નામ બહુ ગાજ્યું છે. ગયા સપ્તાહે (૨૨ સપ્ટેમ્બરે) નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), વિવિધ રાજ્યનાં પોલીસદળો અને ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) સહિતની એજન્સીઓ સાથે મળીને એક જ દિવસમાં એકસાથે ૧૫ રાજ્યોમાં પીએફઆઈ અને એની સાથે સંકળાયેલા રાજકીય પક્ષ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (એસડીપીઆઈ)નાં કાર્યાલય મળીને કુલ ૯૩ સ્થળે દરોડા પાડ્યા અને સંગઠનના ૧૦૬ લોકોની ધરપકડ કરી. એ કારણે પીએફઆઈ ફરી ચર્ચાને ચકડોળે છે. આમ તો છેલ્લાં વર્ષોમાં બીજાં પણ કેટલાંક કટ્ટરપંથી કારનામાંને કારણે પીએફઆઈનું નામ છાશવારે ઊછળતું રહ્યું છે.
૨૦૧૧માં પ્રોફેસર જોસેફનો હાથ કાપ્યા પછી તો ૨૦૧૬ અને ૨૦૧૭માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને બજરંગ દળના કાર્યકરોની હત્યા, ૨૦૧૯માં એક કોંગ્રેસી ધારાસભ્ય પર ઘાતક હુમલો અને તામિલનાડુમાં સામાજિક કાર્યકરની હત્યા, વગેરે અનેક બનાવમાં પીએફઆઈની ઉઘાડી સંડોવણી છે.
ક્યાંથી થયો ‘પીએફઆઈ નો જન્મ?
هذه القصة مأخوذة من طبعة October 10, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 10, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રમત રમાડે રાવણ...
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.