ચિત્રકલાને ક્લાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિલ્પ-સ્થાપત્યના મૂળ પણ ચિત્રકલામાં જ સમાયેલા છે. અપૂર્વ ચિત્રકાર રાજા રવિ વર્માના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ભારતીય લોકસંવેદન અને યુરોપની કળાનું અદ્ભુત સંમિશ્રણ તેમનાં ચિત્રોમાં જોવા મળે છે. ભારતીય પરંપરાગત કલાના સૌંદર્યબોધની સાથોસાથ યુરોપિયન તત્ત્વબોધ ટૅકૂનિકની સફળ પ્રયુક્તિને કારણે કલાજગતમાં તેમની પ્રતિભા અનોખી છે. તેમનાં ચિત્રોમાં વિશાળ સામાજિક પરિપ્રેક્ષ્યના કારણે તેઓ ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં અનન્ય સ્થાન પામ્યા છે. રાજા રવિ વર્મા ભારતના એવા પ્રથમ ચિત્રકાર છે, જેમણે પોતાનાં ચિત્રોનું શિલામુદ્રણ એટલે કે લિથોગ્રાફ કરીને જન સામાન્ય સુધી પહોંચાડ્યા. તેથી લોકમાનસ અને હૃદયમાં તેમણે એક મહાન ચિત્રકાર, પ્રભાવશાળી વ્યક્તિ તરીકેનું કાયમી સ્થાન મેળવ્યું હતું. મહાભારત, રામાયણ તેમ જ અન્ય પૌરાણિક કથાઓ, પ્રસંગો અને પાત્રો, લોકોએ જેમના માત્ર વર્ણન જ સાંભળ્યા હતા તેમને પોતાનાં ચિત્રોમાં જીવંત કરી આપનાર અને મોટાં-મોટાં મંદિરોમાંથી ભગવાનને ઘરના દેવસ્થાન સુધી લઈ આવનાર ચિત્રકાર રાજા રવિ વર્મા સામાન્ય લોકો માટે દેવદૂત સમાન હતા.
હાલના કેરળ રાજ્ય અને એ સમયના ત્રાવણકોર રાજ્યના કિલિમાનૂર ખાતે ૨૯મી એપ્રિલ, ૧૮૪૮ના રોજ એટલે કે પોણા બસ્સો વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો. કેટલી અદ્ભુત વાત છે કે તેમના અઠ્ઠાવન વર્ષના જીવનકાળમાં રચેલાં ચિત્રો આજે પણ ભાવકોને અભિભૂત કરે છે. તેમનાં ચિત્રો ચિરકાળથી અસંખ્ય કલાકારનો પ્રેરણાસ્રોત બની રહ્યાં છે. આજે પણ લોકો તેમની કળા ઉપરાંત તેમના જીવન વિશે જિજ્ઞાસા સેવે છે. તેમના વ્યક્તિત્વનો પ્રભાવ આજે પણ વિવિધ ક્ષેત્રના સર્જકોને પોતાની તરફ આકર્ષે છે.
This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?
રાજકાજ
કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન
રાજકાજ
સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી