કચ્છમાં જૈન સાહિત્ય અને જૈન જ્ઞાનની સાચવણી વર્ષોથી થઈ રહી છે. અહીંના જૈન ગ્રંથ ભંડારોમાં સેંકડો વર્ષો જૂની હસ્તપ્રતો, અમૂલ્ય ગ્રંથો તો સચવાયેલાં છે જ, પરંતુ આ જ્ઞાન આજના જમાનામાં ધીરે ધીરે વિસરાઈ રહ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનથી લોકો પરિચિત રહે, સમાજનાં બાળકોને ધાર્મિક સાથે સાંસ્કૃતિક શિક્ષણ મળી રહે, આગળ જતાં તેમાંથી જ વિદ્વાન સાધુ-સાધ્વીજીઓ જૈન સંઘને મળે, બાળકો સારા શ્રાવકો બને તેવા હેતુથી ૬૦ વર્ષ પહેલાં કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામે ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરાઈ હતી. આ વિદ્યાપીઠને થોડા સમય પછી નજીકના નાગલપર ગામે ખસેડાઈ હતી અને મેરાઉની વિદ્યાપીઠમાં બાલિકાઓ માટે વિદ્યાપીઠ ચાલુ કરાઈ હતી. બંને વિદ્યાપીઠો માંથી સાત-આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અને તેમાંથી ૧૦થી ૧૫ તો વિદ્વાન સાધુ- સાધ્વીજીઓ તરીકે આજે ઓળખાઈ રહ્યા છે. આ સંસ્થામાં ભણેલાં અનેક બાળકો આજે સમાજના અગ્રણી તરીકે સેવા બજાવી રહ્યા છે. જૈન તત્ત્વજ્ઞાન, તેના સંસ્કારને જીવંત રાખતી આ સંસ્થાઓ આજે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ છે. આ સંસ્થામાં ભણવા આવનારા વિદ્યાર્થીઓ ઘટી જતાં, તેને બંધ કરવાની ફરજ પડી છે. જ્ઞાન સંવર્ધન, વર્ધનની બંધ પડેલી પ્રવૃત્તિ ભવિષ્યમાં રંગરૂપ બદલી ચાલુ કરવાની સંસ્થાના ટ્રસ્ટીઓને આશા છે.
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. એક જમાનામાં ભારતીય સંસ્કારો ઉપર થતાં પશ્ચિમી આક્રમણથી ચિંતિત બન્યા હતા. તેઓ સાચું શિક્ષણ આપી, જાગૃતિ લાવવા, ધર્મ, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રાખવા માટે કોઈ સંસ્થા સ્થાપવા વિચારતા હતા. તેમને માંડવી તાલકાના મેરાઉ ગામે આવી સંસ્થા શરૂ કરવાનો યોગ ઊભો થયો. મેરાઉ ગામના જૈન સંઘે પોતાના હસ્તકના ૧૬ ડબલ રૂમ ધરાવતું વિશાળ મકાન આ સંસ્થા શરૂ કરવા માટે ભેટ આપ્યું અને શરૂ થઈ ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ.’ અચલગચ્છ(વિધિ પક્ષના) આચાર્ય પૂ. આર્યરક્ષિતસૂરીશ્વરજી મ.સા.ની પાવન સ્મૃતિને જીવંત રાખવા આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયું હતું.
This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?
રાજકાજ
કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન
રાજકાજ
સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી