પાંજો કચ્છ
ABHIYAAN|February 10, 2024
કુંભારોને માટી ન મળે તો કેમ કામ કરે?
સુચિતા બોઘાણી કનર
પાંજો કચ્છ

કચ્છના પરંપરાગત કુંભારીકામ કરતાં કુંભારોને માટી મળતી નથી, તેમની પાસે પૂરતી જગ્યા નથી, પૂરતું માર્કેટિંગ પણ નથી. આથી જ નવી પેઢી હવે નવા વ્યવસાયો અપનાવી રહ્યા છે.

કચ્છના કુંભારો માટલાં, તાવડી જેવા રોજિંદા ઉપયોગનાં સાધનો ઉપરાંત બોટલ, વાસણો, ગલ્લા, ગરબા, દીવડા, રમકડાં, કુંડા જેવી અનેક વસ્તુઓ બનાવે છે. ક્યારેક લગ્ન માટેની ચૉરી કે જન્મ-મરણ પ્રસંગે ઉપયોગી માટલીઓ પણ સર્જે છે.

પાંચ હજાર વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિ સમયની કલા પણ કચ્છમાં હજુ જીવંત છે.

ભૂકંપ પછી કચ્છના વિકાસાર્થે ઉદ્યોગોને મળેલી ક૨ રાહત પછી આ સરહદી જિલ્લાની સૂરત જ પલટાઈ ગઈ છે. ઉદ્યોગોના કારણે દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા લોકોથી ગાંધીધામ, ભુજ અને મુન્દ્રા જાણે મેટ્રોપોલિટિન શહેરો બની ગયાં હોય તેવું લાગી રહ્યું છે. આધુનિકીકરણ અને વિકાસ થયો હોવા છતાં કચ્છે પોતાની આગવી ઓળખ સમાન કલા સાચવી રાખી છે, પરંતુ હવે ધીરે-ધીરે આજીવિકાના બીજા વિકલ્પો ખુલ્લા થવા લાગતાં નવી પેઢી પરંપરાગત કલાઓને પોતાનો વ્યવસાય બનાવવાના બદલે તે અન્ય કામો તરફ વળી રહી છે. તેથી જ અમુક કલા જાણનારા બહુ ઓછા કારીગરો રહ્યા છે. આવી કલાઓનું જતન કરવું જરૂરી છે. આવી જ એક કલા છે કુંભારીકલા. ફ્રીઝ, સ્ટીલનાં વાસણોના જમાનામાં આજે માટલાંકે માટીનાં વાસણો લોકમાનસમાંથી ધીરે ધીરે દૂર ખસી રહ્યાં છે. કચ્છના કુંભારોને આધુનિકીકરણ ઉપરાંત તેમના માટે મહત્ત્વનો એવો કાચો માલ એટલે કે માટી મેળવવાનું કામ દિવસે-દિવસે અઘરું બની રહ્યું છે.ઉપરાંત તેમને પોતાનું કામ કરવા માટે પહેલાં જેટલી જોઈએ તેટલી જગ્યા સહેલાઈથી મળતી હતી, પરંતુ આજે સીમાડા પણ સામાન્યજનો માટે, ઉદ્યોગો માટે ઉપયોગી બન્યા હોવાથી ત્યાં કુંભારો માટે પૂરતી જગ્યા રહી નથી.આથી કુંભારીકલા અસ્તાચળ તરફ ધસી રહી હોય તેવું લાગી રહ્યું છે. કચ્છની લોકકલાના સંવર્ધન માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ કુંભારી કલા જીવંત રહે તે માટે પ્રયત્નશીલ તો છે, પરંતુ આ પ્રયત્નો ઓછા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

This story is from the February 10, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the February 10, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024