મિડ ડિસેમ્બરનો માહોલ જામ્યો છે. એકાદ મહિના માટે ધનારકનાં કમુરતાંએ લગ્નપ્રસંગમાં બ્રેક મારી છે. જેનાં બાળકો બોર્ડની પરીક્ષાઓમાં બેસવાના છે તે સૌ પરિવારોએ ધરતી ધ્રુજાવતી સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. અને ઘોંઘાટની ખુલ્લેઆમ દાદાગીરીમાંથી મુક્તિ મેળવી છે અને આથી હવે તો એવો દઢ સંકલ્પ છે કે સવારે નિયમિત ચાલવા જઈ ચડેલી ચરબી ઘટાડવી છે અને યોગાસન કરી ઊર્જાના ઉંબાડિયામાં દેહને બરાબર પકવવો છે.
આવા દઢ સંકલ્પોની શક્તિ આપતાં શિયાળામાં યોગ-ધ્યાન અને પ્રાણાયામ કરનાર ઉપરાંતનો એક બીજો જંગલપ્રેમી રખડુ વર્ગ છે, જેને વનો-જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનોઅભયારણ્યો, નાના-મોટા તળાવડા અને સરોવર સુધી જવું છે, ટેન્ટમાં રહેવું છે, જંગલ ટૂંક કરવા છે, દેશ-વિદેશનાં પંખીડાંઓને દૂરબીન માંડીને જોવા છે. ૪૦૦એમએમની મેક્સિમમ ફોકલ લેન્થથી તે સૌના ફોટા પાડવા છે અને તેનાં રંગ-રૂપ, આકાર અને કદથી તેઓને ઓળખી તેઓના મધમીઠા અવાજ પણ સાંભળવા છે.
વનવગડાની વાટે બેસીને કે સરોવરની પાળે બેસીને વિવિધ રંગી પંખીઓના કિલકિલાટ સાંભળવા માટે આમ તો ભારતમાં કુલ બોતેર પક્ષી અભયારણ્યો છે, જેમાં ૧૨૦૦થી વધુ જાતિઓનાં પક્ષીઓ રહે છે. આ બોતેરમાંથી આપણા ગુજરાત પાસે જ છ જેટલાં અભયારણ્યો છે, જેમાંનું એક છે નળ સરોવર.
અમદાવાદની પશ્ચિમે ચોસઠ કિલોમીટર દૂર રહેલા સાણંદ ગામમાં આવેલું નળ સરોવ૨ ૧૨૬.૧૧ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું સરોવર છે. ગુજરાતની સૌથી મોટી વેટલૅન્ડ બર્ડ સેન્કચ્યુરી સરોવર ગણાતું નળ શિયાળામાં યાયાવર પંખીઓનું ગમતું નિવાસ અને પેણબતક, સુરખાબ, ચમચો, ઉલટી ચાંચ અને બતકનું તો કાયમી સરનામું છે, જ્યાં તેઓ જનન–પ્રજનનમાં પણ વ્યસ્ત અને મસ્ત હોય છે.
૧૯૬૯ની એપ્રિલમાં ખુલ્લું મુકાયેલું આ જળચર પક્ષીઓનું અભયારણ્ય ખાસ તો યાયાવર પક્ષીઓનું શિયાળું રહેઠાણ છે. વર્ષના મોટા ભાગ દરમિયાન છીછરા પાણીના આ સરોવરમાં ૧.૮૩ મીટરથી ઊંડું પાણી રહેતું નથી અને આથી જ છીછરા પાણીની આ માર્શલૅન્ડ બગલા જેવાં જળચર પક્ષીઓ માટે ઉત્તમ અને અનુકૂળ સ્થાન છે.
મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર વચ્ચેના નીચા ભૂમિ ભાગ વચ્ચે આવેલું નળ સરોવર એક સમયે અહીં અસ્તિત્વ ધરાવતાં છીછરા સમુદ્રી ફાંટાનો અવશેષ હોવાના પુરાવા આપે છે અને દેશદેશાવરથી આવતાં યાયાવર પંખીઓને હૂંફાળો ઉતારો પણ આપે છે.
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?