શ્રી કૃષ્ણ આમ્ભીર જાતિના ગણનાયક હતા. આમ્ભીરનો અર્થ ગોપાલક થાય એટલે કૃષ્ણ ગોપ જાતિના ગણી શકાય. પ્રાકૃતિક રીતે પણ કૃષ્ણ પર્યાવરણવાદી હતા. યમુનાને કાલિયા નાગના ઝેરથી મુક્ત કરાવી, માથે મોરપીંછ, વાંસની બંસરી, માખણના ચાહક પ્રાકૃતિક જ હોય. તેઓ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે ખૂબ વરસાદ પડતો હતો. એના અવશેષો આ જ દ્વારકામાં પંચ કૂઇના પાંચ મીઠા પાણીના કૂવાઓ છે. જૂના કાળમાં આ જગ્યાએ પાંચ મીઠી નદીઓનું મિલન થતું.
શ્રીકૃષ્ણ અને બલરામ દ્વારકા આવ્યા ત્યારે અહીં રેવતક નામે રાજા હતા. તેમનો પ્રદેશ રેવતાચલ, તેઓ ખેતીવાડીમાં તજજ્ઞ, રેવતક ખંડેર થઈ ગયેલી કુશસ્થલી નગરીને ફરી સમૃદ્ધ કરી રહ્યા હતા. જોગાનુજોગ કૃષ્ણ બલરામે પણ કુશસ્થલીના ઉદ્ધાર માટે મહેનત કરી. બલરામ કૃષિક્ષેત્રે બાહોશ કામગીરી બજાવતા ખેડૂત હતા. તેમનું આયુધ પણ હળ હતું. રેવતકને બલરામે ‘રાવળા તળાવ’ અને ‘રેતવા પાડો' જેવા વિસ્તારોને લીલાછમ કરી વધારે ને વધારે વૃક્ષો વાવ્યા. એટલે જ આ બંને સ્થળ રેવતકના નામ પરથી પડ્યા. શ્રીકૃષ્ણના જીવનકથનની વાતો ઈ.સ.ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલ ગ્રંથ ‘હરિવંશ'માં જાણવા મળે છ., ‘ભાગવત' બાબતે પણ તેમ કહી શકાય. ડો. નાયકના મત મુજબ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ ગુપ્ત રાજાઓનો ગણાય છે. તેનો લાભ દ્વારકાને મળ્યો હોઈ શકે.
હરિવંશ ગ્રંથમાં ‘દ્વારિકા' નગર પર્વતોની વચ્ચે આવેલું દર્શાવવામાં આવ્યું છે, જેમાં નજીકમાં સમુદ્રનો કોઈ ઉલ્લેખ નથી.
‘ભાવગત’ પુરાણમાં રેવતાચલ (ગિરનાર) પર્વતનો કોઈ ઉલ્લેખ નથી, જૈન અનુશ્રુતિ અનુસાર રેવતાચલ પર્વત દ્વારકાના ઈશાન ખૂણામાં હતો, બૌદ્ધ જાતક કથા અનુસાર ‘દ્વારિકા' નગરી સમુદ્ર તથા રેવતાચલ પર્વતની વચ્ચે આવેલી હતી, એટલે એમ માનવું રહ્યું કે આ પ્રદેશમાં કેટલીક પ્રાકૃતિક ઊથલપાથલ થઈ, તેમાં રેવતાચલ પર્વત સમુદ્રમાં ડૂબી ગયો હોય.
This story is from the November 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે