ઇક દિન બિક જાયેગા માટી કે મોલ
જગ મેં રહ જાયેગે પ્યારે તેરે બોલ
ફિલ્મી ગીતોના ચાહક હશો તો તમે એ વાતની નોંધ લીધી જ હશે કે ગાયક મુકેશનાં મોટા ભાગનાં ગીતો ખૂબ લોકપ્રિય થયાં છે. લગભગ બાર ભાષામાં ગાયેલાં એમનાં ગીતોમાં ગુજરાતી ભાષામાંય એમણે એક એકથી ચઢિયાતાં ગીતો ગાઈને ગુજરાતી પ્રજાને એમની ચાહક બનાવી દીધી હતી. ‘હે તને જાતાં જોઈ પનઘટની વાટે’, ‘ઓ નીલ ગગનના પંખેરું’, ‘પંખીડાંને આ પીંજરું’, નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે.. જેવાં ગીતો એક સમયે ગુજરાતીઓનાં ઘર-ઘરમાં ગૂંજતાં હતાં!
ભારતના સર્વોચ્ચ ગાયકોમાં જેમનું સ્થાન અગ્રક્રમે આવે એ મુકેશનું આ જન્મશતાબ્દી વર્ષ છે. ૨૨ જુલાઈ, ૧૯૨૩ મુકેશચંદ માથુરનો જન્મ દિવસ તથા ૨૭ ઑગસ્ટે પુણ્યતિથિ. એટલે આ અમર ગાયકની કેટલીક રસપ્રદ વાતો યાદ કરીએ.
મુકેશનાં ગીતોની લોકપ્રિયતાનાં કારણો હતાં એમના ભાગે આવેલાં ઉત્તમ સ્વરાંકનો, ગળાની મીઠાશ અને ત્રીજું મહત્ત્વનું કારણ તેમના અવાજમાંથી કુદરતી રીતે પ્રગટ થતું દર્દ. શ્રોતાઓના મર્મને સ્પર્શવાનું સામર્થ્ય એમની પાસે હતું. દુઃખના ઊભરા ઠાલવવાની ભાવુકતા હતી, તેમ જ ભગ્ન હૃદયની વ્યથા વ્યક્ત કરવાની તાકાત હતી. તેમના દર્દીલા અવાજે કંઈ કેટલાંયને ગીત સાંભળતી વખતે રડાવ્યા હશે! એમનો સ્વર ભલે અનુનાસિક કહેવાતો, કેટલાકને એમના અવાજની મર્યાદાઓ દેખાતી હતી, છતાં મુકેશે યાદગાર ફિલ્મી ગીતો ઉપરાંત જિયેંગે મગર મુસ્કુરા ના સકેંગે’, ‘તેરે લબોં કે મુકાબિલ ગુલાબ ક્યા હોગા' જેવાં ઉત્તમ ગૈરફિલ્મી ગીતો તથા ‘ચાલતો રહેજે’, ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’, ‘પંખીડાંને આ પીંજરું’, ‘આજ ખરું અવતરવાનું ટાણું’, ‘ઓ નીલ ગગનના પંખેરું’ જેવાં ચિંતનાત્મક ગુજરાતી ગીતો તેમ જ નજરના જામ...જેવાં રોમૅન્ટિક ગીતો ગાઈને શ્રોતાઓને રીઝવ્યા છે.
‘ગાયે ચલા જા’ પુસ્તકમાં લેખક શિરીષ કણેકરે એક સરસ કિસ્સો વર્ણવ્યો છેઃ
This story is from the September 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા