કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી
ABHIYAAN|September 02, 2023
કચ્છનું વાતાવરણ, અહીંની જમીન ઔષધીય પાકોની ખેતી માટે ખૂબ અનુકૂળ હોવા છતાં પૂરતા બજારનો અભાવ, સરકારી યોજનાઓની કમી, માર્ગદર્શનની કમીના કારણે કચ્છના ખેડૂતો મીંઢીઆવળ અને ઇસબગૂલ જેવા પાકોને બાદ કરતાં અન્ય ઔષધીય પાકો બહુ ઓછા લે છે. જો તેમને નડતી મુશ્કેલીઓ દૂર થાય તો બાગાયતી ખેતીની જેમ જ ઔષધીય ખેતીમાં પણ કચ્છના ખેડૂતો કાઠું કાઢી શકે છે. લાલ લસણ, સરગવો, ગૂગળ, અરડૂસી, એલોવીરા જેવા પાકોનું ખૂબ થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. કચ્છમાં તુલસી, અશ્વગંધા, ફુદીનો, કાલમેઘ, કડુ કરિયાતું, સફેદ મૂસળી, જીવંતી જેવાં આયુર્વેદમાં મોટા પ્રમાણમાં વપરાતાં ઔષધોની ખેતી થાય તો જંગલોની જડીબુટ્ટી ખેતરોમાં પહોંચીને ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી શકે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી

ભૂતકાળમાં વારંવાર દુષ્કાળનો સામનો કરતાં કચ્છમાં છેલ્લાં થોડાં વર્ષોથી મેઘમહેર વધી છે. તેનો પૂરેપૂરો ફાયદો અહીંના પ્રયોગશીલ ખેડૂતો લે છે. આજે બાગાયત ક્ષેત્રે કચ્છ રાજ્યમાં મોખરાનો જિલ્લો બન્યું છે. જો અહીંના ખેડૂતોને પૂરતું માર્ગદર્શન, યોગ્ય બજાર મળે અને ઔષધીય કંપનીઓનો રસ વધે તો ઔષધીય પાકની ખેતીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં આગળ પડતો બની શકે. કચ્છની ઘણી જમીન અત્યાર સુધી પાણીના વાંકે રાસાયણિક ખાતર કે દવાના સ્પર્શ વિનાની છે. તેથી તેમાં ઑર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરવી વધુ સરળ છે. તેવી જ રીતે અહીંના સૂકા હવામાનના કારણે ઔષધીય પાકોના ગુમધર્મો અન્ય જગ્યાએ થતાં પાક કરતાં વધુ સારી રીતે જળવાઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે, પરંતુ આ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી કે વધુ કૃષિ નિષ્ણાતો ન હોવાના કારણે નવા પ્રકારના પાક માટેનું જરૂરી માર્ગદર્શન ખેડૂતોને મળતું નથી. સરકાર દ્વારા પણ ખેડૂતોને આ અંગે કોઈ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા નથી. આયુર્વેદિક ઔષધો બનાવતી વિવિધ કંપનીઓ પણ કચ્છમાં વધુ રસ લેતી નથી. તેથી જે થોડા ખેડૂતો ઔષધીય પાક લે છે તેમને પોતાનું ઉત્પાદન બજારમાં કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચવું પડે છે. બહુ ફાયદો તેમને મળતો નથી. જો પૂરતું માર્ગદર્શન મળે, પૂરતું બજાર મળે, પૂરતા ભાવ મળે તો વધુ ને વધુ ખેડૂતો આ પ્રકારના પાક લઈ શકે અને તેમને સારું વળતર પણ મળી શકે.

રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક મનોજભાઈ સોલંકી સાથે ઔષધીય પાકોની ખેતી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘કચ્છમાં આ પ્રકારની ખેતી વધુ નથી. છૂટાછવાયા પ્રયોગો અને પ્રયાસો જરૂર થાય છે, પરંતુ મોટા પ્રમાણમાં થતી નથી. ઔષધીય ખેતી કરનારાને ઉત્પાદન વેચવા માટે વધુ તકો નથી. સરગવા જેવાં ઉપયોગી વૃક્ષોની ખેતી થોડા ખેડૂતો કરે છે, પરંતુ તેમને પૂરતા ભાવ મળતાં નથી. જંગલમાં કુદરતી રીતે ઊગનારી વનસ્પતિ શતાવરી કે એકલકંઢોને જંગલમાંથી કાઢીને તેનાં મૂળ અમુક લોકો વેચે છે. તેવી જ રીતે એસેન્સિયલ પાકો જેવા કે લેમનગ્રાસ કે ખસ અમુક ખેડૂતો ઉગાડે છે. તેઓ તેમાંથી અર્ક કે તેલ કાઢીને પર્ફ્યુમ્સ બનાવવા માટે વેચે છે. ગૂગળ પણ એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તે કચ્છમાં ખૂબ સારી રીતે ઊગી શકે છે, પરંતુ તે પણ અમુક લોકો જ ખેતરમાં વાવે છે.’

This story is from the September 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ

time-read
4 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં

time-read
7 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024