ભૂતકાળમાં વારંવાર દુષ્કાળનો સામનો કરતાં કચ્છમાં છેલ્લાં થોડાં વર્ષોથી મેઘમહેર વધી છે. તેનો પૂરેપૂરો ફાયદો અહીંના પ્રયોગશીલ ખેડૂતો લે છે. આજે બાગાયત ક્ષેત્રે કચ્છ રાજ્યમાં મોખરાનો જિલ્લો બન્યું છે. જો અહીંના ખેડૂતોને પૂરતું માર્ગદર્શન, યોગ્ય બજાર મળે અને ઔષધીય કંપનીઓનો રસ વધે તો ઔષધીય પાકની ખેતીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં આગળ પડતો બની શકે. કચ્છની ઘણી જમીન અત્યાર સુધી પાણીના વાંકે રાસાયણિક ખાતર કે દવાના સ્પર્શ વિનાની છે. તેથી તેમાં ઑર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરવી વધુ સરળ છે. તેવી જ રીતે અહીંના સૂકા હવામાનના કારણે ઔષધીય પાકોના ગુમધર્મો અન્ય જગ્યાએ થતાં પાક કરતાં વધુ સારી રીતે જળવાઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે, પરંતુ આ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી કે વધુ કૃષિ નિષ્ણાતો ન હોવાના કારણે નવા પ્રકારના પાક માટેનું જરૂરી માર્ગદર્શન ખેડૂતોને મળતું નથી. સરકાર દ્વારા પણ ખેડૂતોને આ અંગે કોઈ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા નથી. આયુર્વેદિક ઔષધો બનાવતી વિવિધ કંપનીઓ પણ કચ્છમાં વધુ રસ લેતી નથી. તેથી જે થોડા ખેડૂતો ઔષધીય પાક લે છે તેમને પોતાનું ઉત્પાદન બજારમાં કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચવું પડે છે. બહુ ફાયદો તેમને મળતો નથી. જો પૂરતું માર્ગદર્શન મળે, પૂરતું બજાર મળે, પૂરતા ભાવ મળે તો વધુ ને વધુ ખેડૂતો આ પ્રકારના પાક લઈ શકે અને તેમને સારું વળતર પણ મળી શકે.
રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક મનોજભાઈ સોલંકી સાથે ઔષધીય પાકોની ખેતી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘કચ્છમાં આ પ્રકારની ખેતી વધુ નથી. છૂટાછવાયા પ્રયોગો અને પ્રયાસો જરૂર થાય છે, પરંતુ મોટા પ્રમાણમાં થતી નથી. ઔષધીય ખેતી કરનારાને ઉત્પાદન વેચવા માટે વધુ તકો નથી. સરગવા જેવાં ઉપયોગી વૃક્ષોની ખેતી થોડા ખેડૂતો કરે છે, પરંતુ તેમને પૂરતા ભાવ મળતાં નથી. જંગલમાં કુદરતી રીતે ઊગનારી વનસ્પતિ શતાવરી કે એકલકંઢોને જંગલમાંથી કાઢીને તેનાં મૂળ અમુક લોકો વેચે છે. તેવી જ રીતે એસેન્સિયલ પાકો જેવા કે લેમનગ્રાસ કે ખસ અમુક ખેડૂતો ઉગાડે છે. તેઓ તેમાંથી અર્ક કે તેલ કાઢીને પર્ફ્યુમ્સ બનાવવા માટે વેચે છે. ગૂગળ પણ એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તે કચ્છમાં ખૂબ સારી રીતે ઊગી શકે છે, પરંતુ તે પણ અમુક લોકો જ ખેતરમાં વાવે છે.’
This story is from the September 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા