માતાના ગર્ભના હૂંફાળા અંધકારમાંથી જીવ જન્મ લે છે. માનવજીવના વિકાસની પ્રક્રિયા આ નવ માસ દરમિયાન સૌથી ઝડપી હોય છે. પ્રકૃતિએ માણસને અંધારાં-અજવાળાંના કુદરતી સ્રોત અને ક્રમ ફાળવ્યા છે, કારણ કે એ તેના ભૌતિક બંધારણની જરૂરિયાત છે. પૃથ્વી પર હજારો વર્ષ પહેલાં માણસે ચકમક પથ્થરો ઘસીને પ્રકાશ પેદા કર્યો અને રાત્રિના સામ્રાજ્યમાં પહેલું ગાબડું પાડ્યું. પ્રકૃતિ દરેક જીવની જરૂરિયાત સંતોષી શકે તેમ છે. જીવની જરૂરિયાત સંતોષાતા એ વિકાસ તરફ પગલાં ભરે છે. જેમ માતાના ખોળામાં રમતું બાળક આંગણામાં રમતું થાય તેમ માનવ વિકાસના ક્રમે ૧૮૭૯માં એડિસને વીજળીના બલ્બની શોધ કરીને સમૂળગી ક્રાંતિ લાવી દીધી. આ બંને આવિષ્કારોનું માનવ ઉત્ક્રાંતિ અને વિકાસમાં અવર્ણનીય યોગદાન છે. પ્રકૃતિ અને તેનાં દરેક તત્ત્વો સંતુલનના નિયમને અનુસરે છે. માનવ નામનું તોફાની બાળક મોટા ભાગે અતિરેક કરીને અસંતુલન સર્જે છે. છેવટે આ અસંતુલન પણ મર્યાદા વટાવી દે ત્યારે સર્જાતી તારાજીને પ્રકૃતિ વિવશપણે જોતી રહી જાય છે. પ્રદૂષણ આ અતિરેકનો જ પર્યાય છે. આપણે સૌ જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિગત પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ વગેરે વિશે તો જાણીએ જ છીએ, પરંતુ આપણા જીવનમાં ધીરે-ધીરે પગપેસારો કરતાં પ્રકાશ પ્રદૂષણ વિશે હજુ એટલા સજાગ નથી.
થોડા સમય પહેલાં બાળકો માટેના સમર કેમ્પની એક જાહેરાત હાથમાં આવી. તેમાં એક પ્રવૃત્તિ તરીકે હતું - સ્કાય ગેઝિન્ગ. વિચારો, બાળપણમાં ઉનાળાના વૅકેશનમાં ધાબા પર સૂતાં સૂતાં ખુલ્લા આકાશને નિહાળવાનું કેટલું મજાનું હતું, સહજ હતું! એ પહેલાં સહજ હતું એ આજે સવલત છે. ખરેખર એ બાબત ચેતવણીરૂપ નથી!
ઘરમાં એક સ્વિચ દબાવવા માત્રથી પ્રકાશ ફેલાય છે, અંધકારનો તત્કાલ અંત આવે છે. અંધકારના રહસ્ય સામે આ પ્રકાશ આપણને સલામતીનો અહેસાસ કરાવે છે. તેથી જ આપણે જીવનમાં પ્રકાશનું મહત્ત્વ સમજ્યા છીએ અને તેને સકારાત્મક માનીએ છીએ. આ હિસાબે અંધકાર ભયનો અનુભવ કરાવે છે, પરંતુ આ સારા-નરસાથી પર પ્રકૃતિમાં સંતુલનનો નિયમ સર્વોપરી છે. એથી અંધકારનું મહત્ત્વ સમજવું એટલું જ જરૂરી છે.
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?