એલન મસ્કે ટ્વિટરનું સુકાન સંભાળ્યું એ પછી તેણે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે અને આંચકાઓની શ્રેણીમાં હવે એક નવો ઉમેરો થયો છે. તેણે ટ્વિટરના અલ્ગોરિધમની બંધ મુઠ્ઠી ખોલી નાખી છે. અર્થાત્ ટ્વિટર પર સેંકડો યુઝરના સેંકડો ટ્વિટ્સનું સંચાલન કઈ રીતે થાય છે એ દર્શાવતો પ્રોગ્રામ હવે અનાવૃત થઈ ગયો છે. ના, ટ્વિટરનો સંપૂર્ણ પ્રોગ્રામ જાહેર કરાયો નથી, પરંતુ પારદર્શિતા અને સંશોધનના હેતુ પૂરતો પ્રોગ્રામનો એક નાનો ટુકડો જ પ્રગટ કરાયો છે. આમ જોઈએ તો આ કોઈ એવો મોટો ઘટસ્ફોટ પણ નથી, છતાં આને મહત્ત્વની ઘટના તરીકે અવશ્ય લેખી શકાય. ટ્વિટરનું અલ્ગોરિધમ ૧૫૦૦ ટ્વિટ્સના એક મોટા જથ્થામાંથી યુઝરે ફોલો કરેલા અન્ય યુઝર્સના, એમના સર્કલના અને સર્કલ બહારના પણ સમાન રસ-રુચિ ધરાવતા યુઝર્સના ટ્વિટ્સને અલગ તારવે છે. કોની ટ્વિટને કેટલું મહત્ત્વ મળશે અને કોની ટ્વિટ ઢંકાઈ રહેશે એ નક્કી કરવાના અલગ-અલગ પેરામિટર્સના આધારે સ્ક્રીન પર સતત ટ્વિટનો પ્રવાહ વહેતો રાખવામાં આવે છે. ફોટો અને વીડિયોને વધારે બળથી આગળ પહોંચાડવામાં આવે છે, લાઇક અને રી-ટ્વિટ મળે તો બળની માત્રા વધે છે અને ટ્વિટ મેક્ઝિમમ લોકો સુધી પહોંચે છે.
અલ્ગોરિધમનું ગુજરાતી આવું મળે છે - યાંત્રિક ગણતરી ઇત્યાદિની પ્રક્રિયા કે નિયમો, પરંતુ ટૅક્નોલૉજીના સંદર્ભમાં વિસ્તૃત વ્યાખ્યા આપીએ તો અલ્ગોરિધમ એવો પ્રોગ્રામ છે જે એમાં દાખલ કરાયેલા ડેટા પર નિશ્ચિત નિયમો પ્રમાણે પ્રક્રિયા કરીને કંઈક આઉટપુટ આપે. એક રીતે તે મર્યાદિત પ્રકારની ગણતરી લાર્જ સ્કેલ પર થાક્યા વિના કરવાની સુપર ક્ષમતા ધરાવતું એક યાંત્રિક દિમાગ છે. ટ્વિટર હોય કે સમગ્ર સાયબર સ્પેસનું બીજું કોઈ પણ પ્લૅટફૉર્મ, અલ્ગોરિધમનું કામ એના પર ઠલવાતા કન્ટેન્ટનું ત્યાં વિહરતા યુઝરનું મન સમજીને એના મનને ભાવે એ રીતે વિતરણ કરવાનું તથા સેટ કરવામાં આવેલા પેરામિટર્સને આધારે ખોટી માહિતી, દ્વેષ કે એ પ્રકારની નકારાત્મકતા ફેલાવતી નિષિદ્ધ સામગ્રીઓને દૂર રાખવાનું છે. પાછલા બે-એક દશકમાં ઇન્ટરનેટના સાગરમાંથી કેટકેટલાયે હેતુઓ સાથે ભિન્નભિન્ન ઇ-ઠેકાણાં ઊભરી આવ્યાં છે, ત્યાં ડૂબકી મારતાં મનુષ્યોની સંખ્યા પણ અવિરત વધતી જવા પામી છે. કરોડો યુઝર્સના ડેટાને મૅનેજ કરવા માટે, એમને ચોવીસે કલાક કંઈક 'ને કંઈક પીરસતા રહેવા માટે જે ઇ-જગતના ઈશ્વર સરીખો લાગી શકે એ અલ્ગોરિધમ જ કામ આવે.
This story is from the April 22, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 22, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?