એક દેશ ખંડિત થાય ત્યારે તેના પ્રત્યાઘાતો અનેક સ્તરો પર પડતાં જોઈ શકાય છે. માતૃભૂમિ પર ભાગલાની તલવાર વીંઝાય ત્યારે તેનાં સંતાનો કેટકેટલી રીતે ઘવાય છે! એ તલવાર દેશવાસીઓનાં હૃદય અને આત્માને લોહીલુહાણ કરી નાખે છે. પ્રેમ, મિત્રતા, સામાજિક સૌહાર્દ અને ધાર્મિક આસ્થા જેવી લાગણીઓને છિન્નભિન્ન કરી મૂકે છે. ક્યારેય ન રુઝાય એવા ઘાવમાંથી નફરતની નદી વહેતી રહે છે. હૃદયમાં આસ્થાને બદલે ભય સ્થાન જમાવે છે.
૧૯૪૭-૪૮ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અંતે કરાચી કરાર થયો. એ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનું વિભાજન થયું. મોટા ભાગના કાશ્મીરી પંડિતો ભારત અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં આવી ગયા. પોતાના વતન સાથે તેમણે પોતાની આસ્થાનાં તીર્થોને પણ પાછળ છોડી આવવું પડ્યું. જ્યારે તેમણે સ્થળાંતર કર્યું ત્યારે તેમને એવો અંદાજ પણ નહીં હોય કે આ પવિત્ર ભૂમિ પર તેઓ ફરી ક્યારેય વસવાટ નહીં કરી શકે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસતા ગયા અને પ્રવાસનના પ્રતિબંધોને કારણે હિન્દુઓને મંદિરની મુલાકાત લેવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. સરહદ પારના હિન્દુ મંદિરની મુલાકાત લેવા માગતા ભારતીયો માટે ‘નો ઓબ્જેક્શન’ સર્ટિફિકેટ જરૂરી બન્યું. આઝાદી મળી એ સમયે પાકિસ્તાનમાં 300થી વધારે હિન્દુ મંદિરો હતાં. તેમાંનાં ઘણાં મંદિરોનો ધ્વંસ થઈ ચૂક્યો છે. કેટલાંક મંદિરો તો સરહદથી સાવ નજીક આવેલાં છે. આજે પણ મોટા ભાગના પ્રવાસીઓ આસપાસનાં મનોહર દશ્યોને નિહાળવાને બદલે મંદિરના ભગ્ન અવશેષોને જોતાં રહે છે.
આ મંદિરો અને દેવસ્થાનોનો અભૂતપૂર્વ ઇતિહાસ છે. પાકિસ્તાનની સીમામાં હિન્દુઓની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા શારદા શક્તિપીઠ સિવાયનાં તીર્થોમાં હિંગળાજ માતા મંદિર, પંચમુખી હનુમાન મંદિર, કતસ રાજ મંદિર, મુલતાન સૂર્યમંદિર, વરુણદેવનું મંદિર મુખ્ય છે. શારદાપીઠ મંદિર નીલમ, મધુમતી અને સરગુણ નદીના સંગમ પાસેના હરમુખ પહાડ પર સ્થિત છે. કાશ્મીરના કુપવાડાથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે.
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન