શ્રીરામનો જન્મ એટલે ચૈત્ર માસની નવમી તિથિ. રામનવમીના દિવસે આપણે સર્વે શ્રીરામની આરાધના કરીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે શ્રીરામનો જન્મ કેટલા સમય પહેલાં થયો હતો? ચોક્કસ કયા વર્ષમાં શ્રીરામનો જન્મ થયો હતો? આપણે સૌ આજે વિક્રમ સંવત ૨૦૭૯ અને ૨૦૨૩CE(કૉમન એરા)માં છીએ. શ્રીરામ જન્મ સંબંધિત સંવતનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
સ્વાભાવિકપણે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણને શ્રીરામના જન્મ સંબંધિત જાણકારી માટે સૌથી વધારે પ્રમાણભૂત અને વિશ્વસનીય સ્રોત તરીકે ગણી શકાય. મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણના પણ આજે ઘણાં સંસ્કરણ પ્રાપ્ત છે. મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણની ક્રિટિકલ એડિસન ૧૦ લિપિઓની ૨૦૦૦થી વધુ હસ્તપ્રત સૂક્ષ્મ પરીક્ષણ અને ખૂબ જ સાવધાનીપૂર્વક સમીક્ષા કરીને ૨૪ વર્ષના પરિશ્રમ દ્વારા તૈયાર થયેલી છે. જેથી, શ્રીરામના જન્મવર્ષ સંબંધિત સમગ્ર સંશોધન માટે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણ – ક્રિટિકલ એડિસનને મુખ્ય સ્રોત તરીકે આધાર રાખ્યો છે.
ખગોળ વિજ્ઞાન માત્ર એક એવી પ્રણાલી છે જેમાં વિશ્વનાં અને કોઈ પણ કાળ દરમિયાનનાં તથ્યો અને વિચારોમાં મહત્તમ સામ્યતા તથા એકરૂપતા જોવા મળે છે. નક્ષત્રો - તારાઓની સ્થિતિમાં હજારો વર્ષોમાં ન બરાબર પરિવર્તન થાય છે. કોઈક મોટી ખગોળીય ઘટનાઓ છે, જેની પૅટર્નનું પુનરાવર્તન પણ હજારો વર્ષમાં ન બરાબર થાય છે. આધુનિક ખગોળ વિજ્ઞાન અને પ્રાચીન ખગોળશાસ્ત્ર બંને માં ખૂબ જ અને મહત્તમ સામ્યતા જોવા મળે છે. સૌથી મહત્ત્વનું કે સમય માપન માટે પ્રાચીન કે આધુનિક કાળમાં ખગોળનો જ ઉપયોગ થાય છે. મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણમાં દર્શાવેલી ખગોળીય બાબતોના આધારે શ્રીરામના જન્મથી રાજા રાવણના વધ બાદ અયોધ્યા પુનરાગમન સુધીના તમામ પ્રસંગોનું વર્તમાન કૅલેન્ડર પ્રમાણેની તારીખો અને ચોક્કસ વર્ષ સાથેનું સંશોધન ૧૩ વર્ષના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત થયું છે જેને શ્રીરામ – કોસ્મોલોજિકલ ટાઇમલાઇન પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ કરેલું છે.
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન