ગુજરાતનાં અમદાવાદ અને સુરત જેવાં શહેરોનાં નામ લો અને સાથે વડોદરા ન આવે તો જ નવાઈ. ટોચનાં શહેરોમાં ‘સંસ્કારી નગરી’ અને ‘બરોડા’ તરીકે ઓળખાતા આ શહેરનો અવશ્ય ઉલ્લેખ થતો હોય છે. આ શહેર તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને સ્થાપત્યની દૃષ્ટિએ કલાત્મક ઇમારતો માટે જાણીતું છે, જેમાં ગાયકવાડ શાસનનો પ્રભાવ દેખાય છે. પહેલાંના સમયમાં વડોદરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ખ્યાતિપ્રાપ્ત હતું. જેની પાછળ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો મુખ્ય ફાળો કહી શકાય. ગાયકવાડ શાસનને કારણે અહીં મરાઠી લોકોનો પણ પ્રભાવ હજુ સુધી જોવા મળે છે. આ જ વડોદરામાં આજના સમયની લોકપ્રિય ફૂડ આઇટમો વિશે વાતો કરીએ.
મહાકાળીનું સેવઉસળ
આમ જોવા જઈએ તો વડોદરાવાસીઓનો ટેસ્ટ તીખો છે. જેમ સૌરાષ્ટ્રમાં તમને ગલીએ ગલીએ ગાંઠિયા જોવા મળે તેમ વડોદરામાં સેવઉસળની લારીઓ પણ ખૂબ જોવા મળે. વડોદરામાં ૫૦૦થી વધુ સેવઉસળની લારીઓ આવેલી છે. લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી વડોદરાવાસીઓ જ નહીં, પરંતુ દેશવિદેશના લોકોને સેવઉસળનો ચટકોલગાડનાર મહાકાળી સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મરાઠા ગાયકવાડી શાસનને લીધે વડોદરામાં સેવઉસળની દાયકાઓ પહેલાં એન્ટ્રી થઈ હતી. વડોદરાના કીર્તિસ્તંભ ખાતે મહાકાળી સેવઉસળની મુખ્ય બ્રાન્ચ આવેલી છે, જ્યારે દિવાળીપુરા કોર્ટ સામે બીજી બ્રાન્ચ આવેલી છે. સેવઉસળના રસાનો મસાલો જ મહાકાળીના ટેસ્ટનું સૌથી મોટું સિક્રેટ છે. લસણ અને ડુંગળીની ગ્રેવીમાંથી જ રસો બને છે. ગરમાગરમ ઉસળ તરી સાથે રતલામી સેવ ખવાય છે અને સમય જતાં તેની સાથે પાંઉ ખાવાનું પણ ચલણ વધ્યું. લીલી અને લાલ ચટણી સાથે આ સેવઉસળ પીરસાય છે. આજે તો તેમાં પણ બટર-ચીઝની વેરાઇટી આવી ગઈ છે. આજે પણ પ૦ રૂપિયામાં પેટ ભરાઈ જાય એટલું સેવઉસળ મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે આ સેવઉસળ બનાવવાની શરૂઆત પણ લારીથી જ થઈ હતી અને આજે તે ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યું છે કે દેશ-વિદેશથી વડોદરા આવતા લોકો તે અવશ્ય ખાઈને જ જાય છે.
જગદીશ ફરસાણ
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી