મોટા ભાગના કવિઓ અને શાયરો ભલે છંદ કે લયનું બંધારણ જાણતા ન હોય, પણ પ્રિયતમાના હૃદય સુધી પહોંચવા માટે વાળનું વ્યાકરણ તો અચૂક જાણતા હોય છે! આ સંદર્ભે અમને ગાલિબનો એક શૅર યાદ આવે છે:
આહ કો ચાહિયે ઇક ઉમ્ર અસર હોને તક,
કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક
યુરોપની સંસ્કૃતિમાં સેમ્સનની કથા જાણીતી છે. સેક્સનનું બળ એના માથાના વાળમાં હતું.
આપણા સંસ્કૃત સાહિત્યમાં તો મોટા ભાગની નાયિકા માટે ‘ચારુકેશી’ શબ્દ પ્રયોજાયો છે. જેનો અર્થ થાય છે – જેના કેશ સુંદર છે – પ્રિય છે એવી સ્ત્રી!
જેટલી કવિતાઓ વાળ પર લખાઈ છે અને લખાતી રહે છે એટલી માત્રામાં બાળ પર કવિતાઓ નથી લખાઈ. આનો અર્થ એ થયો કે વાળસાહિત્ય આપણાં બાળસાહિત્ય કરતાં ઘણું આગળ અને વિકસિત છે. માણસો, એમાંય ખાસ કરીને બહેનોએ જેટલી ચિંતા અને ચીવટ પોતાનાં વાળઉછેર માટે રાખી છે એટલીય ચિંતા અને ચીવટ પોતાનાં બાળઉછેર માટે રાખી હશે કે કેમ, એ સંશોધનનો વિષય છે. બાળજગત જ નટખટ હોય છે એવું નથી, પૂરું વાળજગત પણ એટલું જ તોફાની અને નટખટ છે. એક જગાએ જંપીને એ બેસે નહીં, બાળલીલા તો હજુય કંઈક આંખોને ઠારે એવી સોહામણી હોય છે, પણ વાળલીલા? વાળલીલા તો એટલી ભારે કે ધોળે દહાડેય ભલભલાને બિહામણી લાગે!
નેધરલૅન્ડના કેટલાક સંશોધકોએ સંશોધન કર્યું છે કે વ્યક્તિના વાળ પરથી એના સ્વાસ્થ્યનો પરિચય મળી જતો હોય છે. થોડાં વરસો પહેલાં આ શુભ સમાચાર એક અંગ્રેજી મૅગેઝિનમાં છપાયા હતા. બબિતાએ જેવા આ સમાચાર વાંચ્યા કે તરત જ એને બાબુના સ્વાસ્થ્યની ચકાસણી વિશે ચિંતાઓ થવા માંડી. કારણ બીજું કોઈ નહીં, પણ બાબુના માથે હવે સમ ખાવા પૂરતોય વાળ બચ્યો નથી. આવા માણસના સ્વાસ્થ્યની ચકાસણી કેવી રીતે કરવી? આનો સાચો જવાબ તો નેધરલૅન્ડના એ સંશોધકો સિવાય બીજું કોણ આપી શકે?
This story is from the March 04, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 04, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?