મોટા ભાગે દક્ષિણ ભારતીય ભાષાઓમાં ગીતો ગાનાર, ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા ગાયિકા વાણી જયરામે દુનિયાને અલવિદા કહી. ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ જન્મેલાં વાણી જયરામનું ૪થી ફેબ્રુઆરીએ નિધન થયું. અહેવાલો મુજબ થોડા સમય પહેલાં તેમના માથા પર ઈજા થઈ હતી. તેના કારણે તેઓ બીમાર રહેતાં હતાં. શનિવારની સવારે તેઓ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાં. હજુ સુધી મૃત્યુનું સ્પષ્ટ કારણ નથી મળી શક્યું. વાણી જયરામને હાલમાં જ ગણતંત્ર દિનના એક દિવસ પહેલાં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વાણી જયરામે હાલમાં એક વ્યવસાયી ગાયક તરીકે સંગીત ઉધોગમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. તેમણે પોતાની કારકિર્દીમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, ભોજપુરી અને ઉડિયા સહિત ૧૯ ભાષાઓમાં ૧૦ હજાર કરતાં વધારે ગીતો ગાયાં છે.
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?