અગાઉના સમયમાં નવા વર્ષના પ્રારંભે ચૂંદડિયા બ્રાહ્મણો ગામના ચોરા પર આવી જાહેરમાં એ વર્ષનું ફળકથન સંભળાવતાં. કેટલીક નહીં, મોટા ભાગની આગાહીઓ નરો વા કુંજરો વા સમાન હતી. જેમ કે રાતી ચીજોના ભાવ વધશે, પણ સફેદના ઘટશે. લોકોને એ કાલ્પનિક આગાહીઓમાં હવે શ્રદ્ધા બેસતી નથી તે સ્વાભાવિક છે, પરંતુ દુનિયાના નિષ્ણાતો, તેઓની સંસ્થાઓ નક્કર ડેટા અને તેના વિશ્લેષણોને આધારે, બુનિયાદી કારણોને સમજીને વરસમાં બનનારી ઘટનાઓની આગાહીઓ કરતા થયા છે અને જો આસમાની સુલતાની (જેમ કે ઉલ્કાપાત થાય અને ડિનાસર્સ મરી ગયા) ન થાય તો એ આગાહી સાચી પડવાની સંભાવના મોટી રહે છે. આગામી ૨૦૨૩ના વરસની સંભાવનાઓ રસપ્રદ એટલા માટે છે કે હાલમાં દુનિયા અનેક તકલીફોમાં ઘેરાઈ ગઈ છે. પૃથ્વી એક ગામ બની (ગ્લોબલ વિલેજ) બની ગઈ છે ત્યારે ગામની ઘટના વૈશ્વિક બને છે. એકની નાની-મોટી અસર બીજાને થયા વગર રહેતી નથી. હાલમાં જગત યુક્રેન યુદ્ધ, ત્રાસવાદ, કોરોના, ઊર્જાના સ્રોત અને પર્યાવરણની ગંભીરતમ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. વસતિ પણ નવા વિક્રમો સર કરે છે. તો શું થશે બે હજાર ત્રેવીસના વરસમાં?
આવતા એપ્રિલમાં વસતિની બાબતમાં ચીન કરતાં ભારત આગળ વધી જશે. જોકે ભારત માટે આ કોઈ ગૌરવ લેવા જેવી બાબત ન ગણાવી જોઈએ. છતાં ભારત દુનિયાનો સૌથી વધુ, ૧૪૩ કરોડ (૧ અબજ ૪૩ કરોડ)ની આબાદી ધરાવતો દેશ બની જશે. આર્થિક ત્રેવડ અને ક્ષેત્રફળની દૃષ્ટિએ આ સારી વાત નથી. ચીન ભારત કરતાં ત્રણ ગણું મોટું છે અને આર્થિક રીતે દસ ગણું બળવાન છે. વસતિ વધારાના ગેરફાયદા ચીને સમજી લીધા હતા અને તેથી સમયસર બ્રેક મારી. ભારતના નેતાઓને આ બાબત હજી સમજાતી નથી અને વસતિના નામે સંકીર્ણ રાજનીતિ રમી રહ્યા છે. ચૂંટણી ૨૦૨૪માં આવવાની છે. રાજ્યોની ચૂંટણી ટાણે કોમન સિવિલ કોડનાં વચનો આપી રાખ્યાં છે જે લાગે છે કે ૨૦૨૩માં તેમાં પ્રગતિ સાધવામાં આવે. અન્યથા ૨૦૨૪માં પ્રજા પાસે કેવી રીતે જવાશે? નિષ્ણાતોના કહેવા મુજબ ૨૦૨૩માં પણ ભારતની રાજકીય અને સામાજિક નીતિઓમાં હિન્દુત્વનું જોર રહેશે અને દેશ એવી અમુક બાબતોમાં આગળ વધશે જે કદાચ લઘુમતીઓને પસંદ ન પણ હોય. તેમાંનો એક મુદ્દો વસતિ નિયંત્રણ ધારાનો હોઈ શકે.
This story is from the January 07, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 07, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી