દિવસે દિવસે અંગ્રેજી અને અંગ્રેજિયતનો ક્રેઝ જેટલો વધતો ગયો છે એટલો તો ઓરિજિનલ અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ નહીં હોય એવું આજના ગુજરાતી માનસમાં ઘર કરી ગયેલા અંગ્રેજી માટેના આકર્ષણ પરથી લાગે છે!
અમારા એક મિત્ર છે, એમને અંગ્રેજીમાં વાત કરવાનો ખૂબ જ શોખ, પણ અંગ્રેજી એટલું આવડે નહીં, પણ એમણે આ બાબતે પેલી કહેવતનું ચુસ્તપણે પાલન કરવા માંડ્યું છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ બસ, માળવે જવા માટે એમણે મનને મજબૂત કરી લીધું છે. મતલબ કે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે એમણે મનને તૈયાર કરી દીધું. કોઈએ એમને જ્યારથી એવું કહ્યું કે -જુઓ ભ’ઈ, દુનિયામાં કશું જ અઘરું નથી, પડશે એવા દેવાશે. જેવું આવડે એવું અંગ્રેજીમાં બોલ્યે રાખવું. સાંભળનારને સમજ ન પડે તો એની એટલી અણસમજ કહેવાય અને એ એનો પ્રૉબ્લેમ કહેવાય.
આ મિત્રએ વાતવાતમાં ‘ઓહ યેસ્સ’, ‘ઓહ નો’, ‘વાઉ!’, ‘લીટરલી’, ‘આઉટ સ્ટેન્ડિંગ’, ‘માઇન્ડ બ્લોઇંગ’, ‘ઍક્ઝેક્ટલી’, ‘ડેફિનેટ્લી’, ‘યા.યા..’, ‘અલ્ટિમેટલી’, ‘એન્ડ ઑફ ધ ડે’ જેવા શબ્દોનો તડકો લગાવવાનું શરૂ કરી દીધું અને ઉપર વધારાના મરી-મસાલા તરીકે જે રોજના ચીલાચાલુ શબ્દો ‘ઓકે’, ‘થૅન્ક્સ’, ‘વૅલકમ’, ‘શ્યૉર’, ‘સૉરી’નો વઘાર કરીને પોતાની અંગત અંગ્રેજિયતનો પરિચય આપવાનું શરૂ કરી દીધું.
વળગણ અને વળગાડ – આ બંને શબ્દોમાં ફરક છે. આપણામાંના મોટા ભાગના લોકોને અંગ્રેજીનું વળગણ છે અને મોટા ભાગના રાજકારણીઓને અંગ્રેજોનો વળગાડ છે. સાપ ગયા પણ લિસોટા રહ્યા, એમ અંગ્રેજો ગયા પણ એમના ઠાઠમાઠ, એમનું VIP કલ્ચર અને VVIP વલ્ચર આપણે ત્યાં રહી ગયું. આપણે આપણી ફરજ સમજીને આને બાય ઑલ મીન્સ જતન કરીને સાચવી રાખ્યું. સાચવી રાખ્યું એટલું જ નહીં, એને ડે બાય ડે ડેવલપ પણ કર્યું. જોયું? મને પણ અંગ્રેજિયતનો વાઇરસ લાગુ પડી ગયો!
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા
રાજકાજ
ભાજપનો સંકલ્પ પત્ર; દૂરનાં લક્ષ્યો, નજીકનો એજન્ડા
પંચામૃત
ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!
બિંજ-થિંગ
નિતાંત તરસની વેધક કથાઃ The Goat Life
વિઝા વિમર્શ
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ