મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં ૧૨૫થી વધુ નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા પછી જાણે વહીવટી તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કચ્છમાં રાજાશાહી જમાનાના પુલો બંધ કરાવી દીધા છે. જ્યારે દેશમાં અંગ્રેજો શાસન કરી રહ્યા હતા ત્યારે કચ્છમાં જાડેજા વંશનું રાજ હતું. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી કચ્છ રાજ ભારતમાં ભળ્યું હતું. કચ્છના રાજવીઓએ લોકોની સુખાકારી માટે જે પગલાં લીધા હતા તેમાં નદીઓ અને તળાવો પર બનાવેલા પુલો ખૂબ મહત્ત્વના હતા. તેમાં પણ માંડવીનો રૂક્માવતી પુલ અને ભુજનો કૃષ્ણાજી પુલ અત્યાર સુધી વાહનવ્યવહાર માટે વપરાતા હતા. એક સદીથી વધુ જૂનો માંડવીનો પુલ અને દોઢ સદી પૂરી કરવા તરફ આગળ વધી રહેલો ભુજનો પુલ લોકોના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. મોરબીની દુર્ઘટનાના પગલે આ બંને પુલો વાહનો અને રાહદારીઓ માટે બંધ કરી દેવાયા છે. આ પુલોના વહેલી તકે સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ કરાવીને જો તે હજુ પણ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તો જરૂરી મરમ્મત કરીને ખુલ્લા મૂકવા અથવા જો જોખમી બને તેવા હોય તો તેને ઐતિહાસિક ધરોહર તરીકે જાળવવાની માગ લોકો ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓને મન કચ્છ અનોખું આકર્ષણ હોવાથી દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છમાં મોટી સંખ્યામાં આવે છે. ત્યારે રાજાશાહી જમાનાના પુલોની જાળવણી કરીને તેનું પ્રવાસન માટે મહત્ત્વ વધે તેવા પ્રયત્નો કરવા આવશ્યક છે.
This story is from the November 19, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 19, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?